An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

  श्वेताश्वतरोपनिषत्
     
   
< BACK

Shvetashvatar Upanishad 

NEXT >

CHAPTER 4 : Verse 19

 

नैनमूर्ध्वं न तिर्यञ्चं न मध्ये न परिजग्रभत् ।

न तस्य प्रतिमा अस्ति यस्य नाम महद् यशः ॥१९॥

 

અર્થઃ

એનમ્ - એ પરમાત્માને

ઉર્ધ્વમ્ - ઉપરથી

ન - નહિ

તિર્યંચમ્ - આમતેમથી

ન - નહિ

મધ્યે - વચ્ચેથી

ન - નહિ

પરિજગ્રભત્ - પકડી શકાય (અથવા સારી પેઠે નથી પકડી શકાતા)

યસ્ય - જેમનો

મહદયશઃ - મહાન યશ

નામ - નામ છે.

તસ્ય - એમની

પ્રતિમા - ઉપમા, તુલના અથવા સમતા

ન અસ્તિ - નથી.

 

ભાવાર્થઃ

એ પરમાત્મા અવયવરહિત, શરીરરહિત હોવાથી એમને કોઇ માપી શકતું નથી. ઉપરથી, નીચેથી, વચ્ચેથી કે આજુબાજુથી પરિપૂર્ણપણે પકડી શકતું નથી. એમનો મહિમા તથા યશ ખૂબ જ મોટો, અજોડ અને અનુત્તમ છે. એમની બરાબરી કરી શકે એવું, એમનું સમકક્ષ સંસારમાં બીજું કોઇ જ નથી. એ સર્વોત્તમ કે લોકોત્તર છે.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer