An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

  श्वेताश्वतरोपनिषत्
     
   
< BACK

Shvetashvatar Upanishad 

NEXT >

CHAPTER 4 : Verse 20

 

न संदृशे तिष्ठति रूपमस्य न चक्षुषा पश्यति कश्चनैनम् ।

हृदा हृदिस्थं मनसा य एनमेवं विदुरमृतास्ते भवन्ति ॥२०॥

 

અર્થઃ

અસ્ય - આ પરમાત્માનું

રૂપમ્ - સ્વરૂપ

સંદૃશે - દૃષ્ટિ સમક્ષ

તિષ્ઠતિ ન - ઉભું રહેતું નથી

એનમ્ - આ પરમાત્માને

કશ્ચન - કોઇપણ

ચક્ષુષા - ચક્ષુથી

ન પશ્યતિ - જોઇ શકતું નથી.

યે - જે

એનમ્ - આ

હૃદિસ્થમ્ - હૃદયમાં રહેલા પરમાત્માને

હૃદા - ભક્તિપૂર્ણ હૃદયે (અને)

મનસા - દ્રઢ નિર્મળ મનથી

એવમ્ - આવી રીતે

વિદુઃ - જાણી લે છે.

તે- તે

અમૃતાઃ - અમૃત સ્વરૂપ

ભવન્તિ - બની જાય છે.

 

ભાવાર્થઃ

એ પરમાત્માને સ્થૂળ, મલિન, વાસનાયુક્ત, ચર્મચક્ષુથી કોણ જોઇ શકે ? કોઇપણ નહિ. એમના દર્શન માટે તો સ્થૂળને બદલે સૂક્ષ્મ અને પ્રાકૃતને બદલે દિવ્ય દૃષ્ટિની જ આવશ્યકતા હોય છે. ભક્તિભાવથી ભરેલા, નિર્મળ મનના સત્પુરુષો એમના અલૌકિક અનુગ્રહથી એમની ઝાંખી કરી શકે છે. એ પરમાત્મા હૃદયપ્રદેશમાં વિરાજે છે. ત્યાં સાધના દ્વારા એમના દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર કરવાથી જીવન શાંતિથી સંપન્ન, સુખમય અને અમૃતમય બને છે.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer