An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

  श्वेताश्वतरोपनिषत्
     
   
< BACK

Shvetashvatar Upanishad 

NEXT >

CHAPTER 4 : Verse 21

 

अजात इत्येवं कश्चिद्भीरुः प्रपद्यते ।

रुद्र यत्ते दक्षिणं मुखं तेन मां पाहि नित्यम् ॥२१॥

 

અર્થઃ

રુદ્ર - હે રુદ્ર !

અજાતઃ - તમે અજન્મા છો

ઇતિ એવમ્ - એવું સમજીને

કશ્ચિત્ - કોઇ

ભીરુઃ - જન્મમરણ કે સંસારથી ગભરાયેલો જીવ

પ્રપદ્યતે - તમારું શરણ લે છે.

તે - તમારું

યત્ - જે

દક્ષિણમ્ - કલ્યાણમય

મુખમ્ - મુખમંડળ છે.

તેન - તેની દ્વારા

નિત્યમ્ - સદા

મામ્ પાહિ - મારી રક્ષા કરો.

 

ભાવાર્થઃ

જે જન્મમરણને આધીન, અલ્પ અને સંસારગ્રસ્ત છે તે બીજા જીવોની રક્ષા કેવી રીતે કરી શકે ? પરમાત્મા અજન્મા અને પૂર્ણ તથા સર્વસમર્થ હોવાથી શરણાગતની રક્ષા સારી રીતે કરી શકે છે અને કરે છે. એ સદા મંગલમય હોવાથી બીજાનું મંગલ કરે છે. એટલા માટે એમની પ્રાર્થના કરતાં કહેવામાં આવે છે કે હે પ્રભુ ! હે સર્વસંહારક રુદ્ર ! મેં તમારું શરણ લીધું છે. તમારી સંહારક શક્તિનો પ્રયોગ કરીને મારી નિર્બળતા, અશાંતિ અને અવિદ્યાનો નાશ કરો અને સંસારના વિષયોમાંથી મારી રક્ષા કરીને મારું સર્વપ્રકારે કલ્યાણ કરી દો.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer