An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

  श्वेताश्वतरोपनिषत्
     
   
< BACK

Shvetashvatar Upanishad 

NEXT >

CHAPTER 5 : Verse 06

 

तद् वेदगुह्योपनिषत्सु गूढं तद् ब्रह्मा वेदते ब्रह्मयोनिम् ।

ये पूर्वं देवा ऋषयश्च तद् विदुस्ते तन्मया अमृता वै बभूवुः ॥६॥

 

અર્થઃ

તત્ - તે

વેદગુહ્યોપનિષત્સુ - વેદોના રહસ્યવાળાં ઉપનિષદોમાં

ગૂઢમ્ - ગૂઢ રીતે રહેલા છે.

બ્રહ્મયોનિમ્ - વેદોના મૂળાધાર જેવા

તત્ - તે પરમાત્માને

બ્રહ્મા - બ્રહ્મા

વેદતે - જાણે છે.

યે - જે

પૂર્વદેવાઃ - પહેલાંના દેવો

ચ - અને

ઋષયઋ - ઋષિઓ

તત્ - તેમને

વિદુઃ - જાણતા હતા

તે - તે

વૈ - અવશ્ય

તન્મયાઃ - એમની સાથે તન્મય થઇને

અમૃતાઃ - અમૃતસ્વરૂપ

બભૂવુઃ - બની ગયા.

 

ભાવાર્થઃ

પરમાત્મા વેદોના ગૂઢાતિગૂઢ રહસ્યજ્ઞાનથી ભરેલાં ઉપનિષદોમાં ગુપ્ત રીતે રહેલા છે. એ વેદોના મૂળ કારણ અથવા પરમ આશ્રયદાતા છે. એમને બ્રહ્માએ તથા અન્ય દેવોએ અને ઋષિમુનિઓએ જાણ્યા છે. એમની કૃપાના અસાધારણ અનેરા અનુભવથી એમણે જીવન ધન્ય બનાવ્યું છે. એમની શ્રદ્ધાભક્તિ સહિતની સાધનાથી મદદથી એમની સાથેની અખંડ અંતરંગ એકતાનો અને આત્મીયતાનો અનુભવ કર્યો છે. એવી રીતે આજે પણ અનુભવીને કોઇપણ કૃતાર્થ થઇ શકે છે.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer