An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

  श्वेताश्वतरोपनिषत्
     
   
< BACK

Shvetashvatar Upanishad 

NEXT >

CHAPTER 5 : Verse 08

 

अङ्गुष्ठमात्रो रवितुल्यरूपः सङ्कल्पाहङ्कारसमन्वितो यः ।

बुद्धेर्गुणेनात्मगुणेन चैव आराग्रमात्रोऽप्यपरोऽपि दृष्टः ॥८॥

 

અર્થઃ

યઃ - જે

અંગુષ્ઠમાત્રઃ - અંગુષ્ઠમાત્ર માપવાળો

રવિતુલ્યરૂપ - સૂર્યસમાન પ્રકાશ સ્વરૂપ

સંકલ્પાહંકારસમન્વિતઃ - સંકલ્પ અને અહંકારથી સંપન્ન છે.

બુદ્ધઃ - બુદ્ધિના

ગુણેન - ગુણને લીધે

ચ - અને

આત્મગુણેન - પોતાના ગુણને લીધે

એવ - જ

આરાગ્રમાત્રઃ - આરાના અગ્રભાગ જેવો સૂક્ષ્મ છે.

અપરઃ - એવો બીજો એટલે પરમાત્માથી જુદો જીવાત્મા

અપિ - પણ

હિ - અવશ્ય

દૃષ્ટઃ - જ્ઞાનીજનોએ જોયેલો છે.

 

ભાવાર્થઃ

જે સંસારચક્રમાં કર્મફળોનો ઉપભોગ કરતાં ફરે છે તે જીવાત્મા પરમાત્મા કરતાં જુદો છે. એ હૃદયપ્રદેશમાં રહે છે, અને હૃદય અંગૂઠાના માપનું હોવાથી એ પણ અંગૂઠાનો માપનો છે. એ અવિદ્યારૂપી અંધકારથી મુક્ત તથા સૂર્યસમાન પ્રકાશસ્વરૂપ છે. એ સંકલ્પવિકલ્પ જેવા બુદ્ધિના ગુણથી અને અહંતા, મમતા, આસક્તિ જેવા પોતાના ગુણોથી સંપન્ન, સૂક્ષ્માતિસૂક્ષ્મ આકારવાળો અને પરમાત્માથી પૃથક્ છે. સ્વાનુભવસંપન્ન જ્ઞાની પુરુષોએ એના સ્વરૂપને એવું જ કહ્યું છે. ખરી રીતે તો એનું કોઇ માપ કે પરિમાણ નથી. એ અતિશય સૂક્ષ્મ હોવાથી કોઇપણ સ્થૂળ કે સૂક્ષ્મ પદાર્થ સાથે એની સરખામણી ના થઇ શકે તેવી. તોપણ એને અંગુષ્ઠમાત્ર કહ્યો છે એ એની સૂક્ષ્મતાનો ખ્યાલ આપવા માટે જ છે.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer