An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

  श्वेताश्वतरोपनिषत्
     
   
< BACK

Shvetashvatar Upanishad 

NEXT >

CHAPTER 5 : Verse 12

 

स्थूलानि सूक्ष्माणि बहूनि चैव रूपाणि देही स्वगुणैर्वृणोति ।

क्रियागुणैरात्मगुणैश्च तेषां संयोगहेतुरपरोऽपि दृष्टः ॥१२॥

 

અર્થઃ

દૈહી - જીવાત્મા

ક્રિયાગુણૈઃ - પોતાના કર્મસંસ્કારરૂપી ગુણોથી

ચ - અને

આત્મગુણૈઃ - શરીરના ગુણોથી

સ્વગુણૈઃ - અહંતા મમતાદિ પોતાના ગુણોથી પ્રભાવિત થઇને

સ્થૂલાનિ - સ્થૂળ

ચ - અને

સૂક્ષ્માણિ - સૂક્ષ્મ

બહૂનિ એવ - અનેક

રૂપાણિ - રૂપ, શરીર અથવા આકૃતિનો

વૃણોતિ - સ્વીકાર કરે છે.

તેષામ્ - એમના

સંયોગહેતુ - સંયોગનું કારણ

અપરઃ - બીજું

અપિ - પણ

દૃષ્ટઃ - દેખી શકાયું છે.

 

ભાવાર્થઃ

જીવાત્મા કર્મસંસ્કારોથી અને મન, બુદ્ધિ, ઇન્દ્રિયો અને શરીરના ગુણોથી પ્રભાવિત થઇને અંહતા-મમતા જેવો પોતાના ગુણોની અસર નીચે આવીને જુદાં જુદાં શરીરો ધારણ કરે છે. અનેક પ્રકારના રૂપથી સંપન્ન બને છે. એમાં કેટલાંક સૂક્ષ્મ હોય છે તો કેટલાક સ્થૂળ. એ જુદી જુદી યોનિમાં જન્મે છે, પરંતુ જન્મવામાં સ્વતંત્ર નથી. એનાં જન્મ મરણ અથવા જુદી જુદી યોનિના સંયોગવિયોગનું કારણ પરમાત્મા છે. પરમાત્મા જ એનું મુખ્ય પ્રેરક બળ છે અને એની અધીન બનીને એ ફર્યા કરે છે. જ્ઞાની પુરુષોનો એવો અનુભવજન્ય અભિપ્રાય છે.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer