An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

  श्वेताश्वतरोपनिषत्
     
   
< BACK

Shvetashvatar Upanishad 

NEXT >

CHAPTER 6 : Verse 01

 

स्वभावमेके कवयो वदन्ति कालं तथान्ये परिमुह्यमानाः ।

देवस्यैष महिमा तु लोके येनेदं भ्राम्यते ब्रह्मचक्रम् ॥१॥

 

અર્થઃ

એકે - કોઇ એક પ્રકારના

કવયઃ - વિદ્વાનો

સ્વભાવમ્ - સ્વભાવને

વદન્તિ - જગતનું કારણ કહે છે.

તથા - એવી રીતે

અન્યે - અન્ય વિચારકો અને વિદ્વાનો

કાલમ્ - કાળને કારણ કહે છે.

(એતે) પરિમિહ્યમાનાઃ (સન્તિ) - તે મોહગ્રસ્ત હોવાથી યથાર્થ કારણને જાણતા નથી.

તુ - ખરી રીતે તો

એષઃ - આ

દેવસ્ય - પરમાત્માનો

લોકે - જગતમાં ફેલાયેલો

મહિમા - મહિમા છે.

યેન - જેનાથી

ઇદમ્ - આ

બ્રહ્મચક્રમ્ - બ્રહ્મચક્ર

ભ્રામ્યેત્ - ફેરવવામાં આવે છે.

 

ભાવાર્થઃ

વિદ્વાન કે વિચારકોનો એક વર્ગ એવો છે કે જે સ્વભાવને જ જગતનું મૂળ કારણ માનીને જગત પોતાના પ્રાકૃતિક સ્વભાવથી જ પ્રાદુર્ભાવ પામે છે એવું સમજે-સમજાવે છે. વિદ્વાનો કે વિચારકોનો બીજો વર્ગ જગતના મૂળ અથવા કારણ તરીકે કાળને માને છે. પરંતુ એ વિચારકોની માન્યતા યથાર્થ નથી. એમને જગતની પાછળ રહેલી પરમાત્માની પરમ સત્તાનો ખ્યાલ નથી. એ પરમાત્માને લીધે જ જગતનું પ્રાકટ્ય થાય છે. જગત પરમાત્માના પ્રકટ મહિમા જેવું છે. એના રૂપમાં એ પરમ મહિમામય મગંલ મહિમાનું દર્શન કરવું જોઇએ. જગતનું ચક્ર એ પરમાત્માને લીધે જ ચાલ્યા કરે છે. એના મૂળ કારણ કે મુખ્ય કારણ પરમાત્મા જ છે.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer