An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

  श्वेताश्वतरोपनिषत्
     
   
< BACK

Shvetashvatar Upanishad 

NEXT >

CHAPTER 6 : Verse 12

 

एको वशी निष्क्रियाणां बहूनामेकं बीजं बहुधा यः करोति ।

तमात्मस्थं येऽनुपश्यन्ति धीरास्तेषां सुखं शाश्वतं नेतरेषाम् ॥१२॥

 

અર્થઃ

યઃ - જે

એકઃ - એક જ

બહૂનામ્ - અનેક

નિષ્ક્રિયાણામ્ - નિષ્ક્રિય જડ જીવોના

વશી - શાસક છે.

એકમ્ - એક

બીજમ્ - પ્રકૃતિરૂપી બીજને

બહુધા - અનેક પ્રકારે પરિણત

કરોતિ - કરી દે છે.

તમ્ - તે

આત્મસ્થમ્ - હૃદયમાં રહેલા પરમાત્માને

યે - જે

ધીરાઃ - ધીર પુરુષો

અનુપશ્યતિ - અવલોકે છે.

તેષામ્ - તેમને

શાશ્વતમ્ - સનાતન

સુખમ્ - સુખ

ઇતરેષામ્ - બીજાને

ન - નહીં.

 

ભાવાર્થઃ

સંસારમાં સનાતન સુખ કોને સાંપડે છે ? પરમાત્માનો સાક્ષાત્કાર પોતાના હૃદયમાં કરનારા સાધનાપરાયણ મંગલ મહાપુરુષોને જ. બીજાને કદાપિ નથી સાપડી શકતું. એ પરમાત્મા સ્વયં સુખસ્વરૂપ હોઇને એમની પાસે પહોંચનાર સ્વાભાવિક રીતે જ સુખશાંતિથી સંપન્ન બને છે. એ પરમાત્મા પોતે એક જ હોવા છતાં અનેક જીવોના અથવા જડચેતનાત્મક સકળ સૃષ્ટિના શાસક છે. પ્રકૃતિરૂપી એક જ નાનાસરખા સીક્ષ્મ બીજને તે વિશ્વના વિવિધ નામરૂપ, રંગ તથા રસથી ભરેલા વિશાળ વૃક્ષમાં પરિણત કરે છે. એવી અનંત એમની શક્તિ છે.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer