An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

  श्वेताश्वतरोपनिषत्
     
   
< BACK

Shvetashvatar Upanishad 

NEXT >

CHAPTER 6 : Verse 16

 

स विश्वकृद् विश्वविदात्मयोनिर्ज्ञः कालकालो गुणी सर्वविद् यः ।

प्रधानक्षेत्रज्ञपतिर्गुणेशः संसारमोक्षस्थितिबन्धहेतुः ॥१६॥

 

અર્થઃ

સઃ - તે

જ્ઞઃ - જ્ઞાનસ્વરૂપ પરમાત્મા

વિશ્વકૃત્ - સર્વસૃષ્ટા

વિશ્વવિત્ - સર્વજ્ઞ

આત્મયોનિઃ - પોતાના પ્રાદુર્ભાવના કારણ

કાલકાલઃ - કાળના પણ મહાકાળ

ગુણી - ગુણવાન

સર્વવિત્ - સૌને જાણનાર છે.

યઃ - જે

પ્રધાનક્ષેત્રજ્ઞપતિઃ - પ્રકૃતિ તથા જીવાત્માના સ્વામી

ગુણેશઃ - ગુણોના અધીશ્વર

સંસારમોક્ષસ્થિતિબન્ધહેતુઃ - સંસારના બંધન, મોક્ષ અને એની અંદરની સ્થિતિના કારણ છે.

 

ભાવાર્થઃ

પરમાત્મા પરમજ્ઞાન સ્વરૂપ છે. સર્વજ્ઞ છે. સૌને ઉત્પન્ન કરનારા છે. પરંતુ એમને ઉત્પન્ન કરનારા કોઇ જ નથી. એ સંપૂર્ણ સંસારની ઉત્પત્તિના કારણ છે. પરમ ગુણવાન, કાળના પણ કાળ અને સૌને જાણનાર છે. પ્રકૃતિના ગુણધર્મો પર શાસન કરનારા, પ્રકૃતિ તથા જીવાત્માના સ્વામી છે. એમને લીધે જ જગતમાં જીવોની સ્થિતિ થાય છે. જીવો વિવિધ પ્રકારનાં બંધનમાં પડે છે, અને એમના શરણ, મનન તથા સાક્ષાત્કારથી મુક્તિનો અનુભવ કરે છે.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer