An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

  श्वेताश्वतरोपनिषत्
     
   
< BACK

Shvetashvatar Upanishad 

NEXT >

CHAPTER 6 : Verse 17

 

स तन्मयो ह्यमृत ईशसंस्थो ज्ञः सर्वगो भुवनस्यास्य गोप्ता ।

य ईशेऽस्य जगतो नित्यमेव नान्यो हेतुर्विद्यत ईशनाय ॥१७॥

 

અર્થઃ

સઃ હિ - તે જ

તન્મયઃ - તન્મય

અમૃતઃ - અમૃતસ્વરૂપ

ઇશસંસ્થઃ - ઇશ્વરો કે લોકપાલોમાં પણ આત્મારૂપે રહેલા

જ્ઞઃ - સર્વજ્ઞ

સર્વગઃ - સર્વવ્યાપક

અસ્ય - આ

ભુવનસ્ય - બ્રહ્માંડના

ગોપ્તા - રક્ષક છે.

યઃ - જે

અસ્ય - આ

જગતઃ - જગતના

નિત્યમ્ - સદા

એવ - જ

ઇશે - શાસન કરનારા છે.

ઇશનાય - જગત પર શાસન કરવા માટે

અન્યઃ - બીજો

હેતુઃ - હેતુ

ન વિદ્યતે - નથી.

 

ભાવાર્થઃ

તે પરમાત્મા સ્વ-સ્વરૂપમાં સ્થિત, અમૃતમય, અચળ છે. એમના સિવાયનું બીજું બધું જ પરિવર્તનશીલ છે. જુદા જુદા લોકપાલોમાં ને દેવોમાં આત્મારૂપે એ જ વિરાજમાન છે. એ સર્વજ્ઞ, સર્વવ્યાપક, બ્રહ્માંડના સ્વામી તથા સંરક્ષક છે. એમના સિવાય સંસાર પર શાસન કરનાર બીજું કોઇ જ નથી. એમનું શાસન શાશ્વત કાળથી, સર્જનના આરંભથી અને એની પણ પહેલાંથી ચાલ્યા કરે છે.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer