કાળના પ્રવાહમાં કદી ન કરમાય તેવી

 

અક્ષત

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

તને ખબર છે ?

   
< BACK

અક્ષત

NEXT >
 

મારા ભાઈ !

તું કાશી, મથુરા ને દ્વારકામાં ફરે છે,

પરંતુ તને ખબર છે કે,

મન મથુરા છે, કાયા કાશી છે, અને દિલ દ્વારકા છે ?

ગંગા, જમના ને સરસ્વતી તારી અંદર જ છે.

ત્રિવેણીસંગમ પણ ત્યાં જ થઈ રહ્યો છે-તારી કાયામાં,

એ વાતના રહસ્યને તું જાણે છે ?

પુણ્યધામોના પ્રવાસ ના કર એવું કહેવાનો આશય નથી,

પરંતુ એકલી બહારની યાત્રા જ યાત્રા નથી,

અંદરની યાત્રા પણ છે.

તારું પ્રત્યેક પરમાણુ પવિત્ર છે, પ્રાણવાન છે, પ્રેરણાસ્પદ છે.

તારા પોતાના દિલરૂપી દેલાવયમાં દેવોના દેવ બિરાજમાન છે.

એમના દર્શનથી જ તને શાંતિ સાંપડી શકે તેમ છે.

એ વાતની તને ખબર છે ?

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અક્ષત' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer