કાળના પ્રવાહમાં કદી ન કરમાય તેવી

 

અક્ષત

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

મારી પરિસ્થિતિ

   
< BACK

અક્ષત

NEXT >
 

મારા મનમાં જે ભાવ કે વિચાર ઊઠે છે

તે તમારી જ ઈચ્છાથી, અનુકંપાથી કે શક્તિથી ઊઠે છે એવો મારો વિશ્વાસ છે,

એટલે જે ભાવ કે વિચાર ઊઠે છે તે મંગલમય ને મધુર જ ઊઠે છે.

 

મારા હૃદયમાં જે લાગણી કે ઊર્મિનો આવિર્ભાવ થાય છે

તે તમારે લીધે જ થયા કરે છે એવી મારી અનુભૂતિ છે,

એટલે જે લાગણી કે ઊર્મિનો આવિર્ભાવ થાય છે

તે સાચો ને શ્રેયસ્કર જ થયા કરે છે.

 

મારી વાણીનું રઢિયાળું રસમય રૂપ ધરીને તમે જ વહન કરો છો :

કલમ દ્વારા પણ તમે જ ટપક્યા કરો છો :

મારી દૃષ્ટિ દ્વારા સંસારને સ્પર્શ કરીને સંસારમાં સુધા ભરો છો :

અને મારા હલનચલનમાં તેમજ હાલતાચાલતા રહી,

શ્વાસોશ્વાસમાં તમે જ જીવન થઈ, મારામાં સંચાર કરો છો.

એટલે એ બધું જ મધુમય, મંગલ બની ગયું છે.

 

બહારથી જોનારને મારા વિના કદાચ કશું ના લાગે,

પરંતુ અંદરથી અવલોકન કરનારને તમારા વિના બીજું કશું જ ના ભાસે,

એવી મારી પરિસ્થિતિ છે.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અક્ષત' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer