કાળના પ્રવાહમાં કદી ન કરમાય તેવી

 

અક્ષત

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

સાધકને

   
< BACK

અક્ષત

NEXT >
 

નિષ્ફળતા ને નિસાસાથી ડરનારા સાધક !

તું તારી ધ્યેયપ્રાપ્તિના પુરુષાર્થમાં સફળ નહિ થઈ શકે.

આ માર્ગમાં નિષ્ફળતા ને નિસાસા તો આવવાનાં જ.

વિધ્નો અને વેદનાની સાથે પણ કામ લેવું પડવાનું.

નિંદા, ટીકા તથા આલોચનાનો અનુભવ પણ કરવો પડવાનો;

સુધાની સાથે ગરલના ઘૂંટડા પણ પીવા પડવાના.

મિત્રો મૂકી દે, સંબંધી તારી સાથેનો સ્નેહસંબંધ તોડી દે,

તને એકલો અનાથ જેવો છોડી દે, એવું પણ બનવાનું.

એ સૌને શૂરાતન સાથે સામી છાતીએ સહન કરી શકે

એને માટે જ પૂર્ણતાના પવિત્ર પ્રવાસની પગદંડી છે :

અમૃતપદનો અવકાશ છે :

આત્મોન્નતિના સર્વોત્તમ શિખરનું આનંદપૂર્વકનું આરોહણ છે :

માટે ડર્યા વિના આગળ વધ :

વાવાઝોડાં, વહ્નિ, વરસાદ, વિનાશમાંથી યે આગળ વધ.

નિરાશ બનીને બેસી રહીશ તો પાછળ રહી જશે.

હિંમતપૂર્વક કમર કસીને આગળ વધીશ તો સુખ, શાંતિ, સંપૂર્ણતાનો સમ્રાટ થશે.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અક્ષત' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer