કાળના પ્રવાહમાં કદી ન કરમાય તેવી

 

અક્ષત

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

યાદ રાખજે

   
< BACK

અક્ષત

NEXT >
 

મહેલ કે ઝૂંપડીમાં રહેવાથી જ કોઈ ભોગી

અને જંગલમાં રહેવાથી જ કોઈ જોગી થઈ જતું નથી :

મમતા અને અહંતાને ટાળવાથી જ યોગી થઈ શકાય છે એ યાદ રાખજે.

 

વાસણ કે પાતળમાં જમવાથી જ કોઈ ભોગી

અને હથેળીમાં લઈને ખાવાથી જ કોઈ જોગી થઈ જતું નથી :

જે વખતે જે સ્થિતિ મળે તેમાં નિશ્ચલતા અને શાંતિપૂર્વક જીવવાથી જ

યોગી થઈ શકાય છે એ યાદ રાખજે.

 

સુતરાઉ કે રેશમી વસ્ત્રો પરિધાન કરવાથી જ કાંઈ ભોગી

અને રસ્તે પડેલાં ચીથરાંની ગોદડી પહેરવાથી

કે નવસ્ત્રા રહેવાથી જ કોઈ જોગી થઈ શકતું નથી :

શરીરનું મર્યાદા માટે ઢાંકણ કરી, શીલ, સંયમ, શાંતિને ધારણ કરી,

જીવનનો આનંદ લેવાથી જ જોગી થઈ શકાય છે એ યાદ રાખજે.

 

પર્વત કે સરિતાના સુંદર શાંત પ્રદેશમાં ફરવાથી જ કાંઈ ભોગી

અને પંચાગ્નિનું સેવન કરીને બેસી રહેવાથી જ કોઈ જોગી થઈ શકતું નથી :

સુખ અને દુઃખ, માન અને અપમાનમાં સ્થિરતા જાળવીને

સમતાને ધારણ કરવાથી જ યોગી થઈ શકાય છે એ યાદ રાખજે.

 

ભેળું કરીને ખાવાથી કે નેતિ, ધોતિ, કે ખેચરી અને પ્રાણાયામ કરવાથી

કે જેમ તેમ વ્યવહાર કરવાથી જ કોઈ પરમહંસ થઈ જતું નથી

અને તેમ ન કરવાથી પરમહંસ મટી પણ જતું નથી.

પણ સાચા ને ખોટાંનો નિર્ણય કરવાથી અને

સત્યરૂપી ઈશ્વરને ઓળખી લેવાથી જ પરમહંસ થઈ શકાય છે એ યાદ રાખજે.

 

સારી પેઠે બોલવાથી જ ભોગી

અને મૌન ધારીને બેસી રહેવાથી જ કોઈ જોગી થઈ જતું નથી :

મન અને વાણીથી જે પર છે છતાં મન અને વાણી જેમાંથી પ્રેરણા મેળવે છે

તે પરમતત્વમાં સદા કાજે પ્રતિષ્ઠિત થવાથી યોગી થઈ શકાય છે એ યાદ રાખજે.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'અક્ષત' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer