પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

કમળ ને કવિ

     
   
< BACK

પરિમલ

NEXT >
 

શરદની એક સોનેરી સવારે, એ એકાંત ઉપવનની મેં મુલાકાત લીધી. ઉપવનને એક છેડે સુંદર સરોવર હતું, ને એમાં એક અત્યંત આકર્ષક કમળ ખીલી ઊઠેલું.

 

એની શ્રી ને સરસતાથી મારું હૈયું હિલોળે ચઢ્યું. થોડીવાર પછી મેં એને કહ્યું, પ્યારા કમળ ! આટલું બધું સુંદર હોવા છતાં આ એકાંત ઉપવનમાં કેમ પડી રહ્યું છે ? તારું સ્થાન તો કોઈક રમણીય રાજપ્રાસાદમાં કે દૈવી દેવમંદિરમાં જ હોય.

 

કમળે કહ્યું, કવિ ! તારી વાત બરાબર હશે; પણ એકલ-દોકલ અને અનાથને આનંદ આપનાર પણ કોઈક જોઈએ ને ? જીવનનો સાચો સંતોષ મને એમાં જ લાગે છે - એ સેવામાં, વળી તારા જેવા કોમળ કાળજાના કો'ક કવિ આ કેડી પર કોઇકવાર આવી ચઢે છે, ને મને જોઇને કવિતા કરે છે. એથી મને અપાર, અલૌકિક, અવર્ણનીય, આનંદ મળે છે.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer