પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

ગંગાનું ગુમાન

     
   
< BACK

પરિમલ

NEXT >
 

ગંગાના ગહન પાણીમાં એક દેવદારનું લાકડું તરી રહ્યું હતું. પર્વતીય લોકોએ એને તોડી ને નવો આકાર આપીને એમાં વહેતું મુક્યું હતું. એને જોવા માટે કિનારાના ગામના લોકો ટોળે વળતા હતા.

 

અનેક અવરોધો અને આફતને અંતે એક ધન્ય દિવસે ને ધન્ય ક્ષણે એ લાકડું કિનારે આવી પહોંચ્યું. એનો પરિશ્રમ પૂરો થયો. એ જોઈને ગંગા આનંદમાં આવી ગઈ ને કહેવા લાગી, મારા વિના તારો ઉદ્ધાર આ ભીષણ પીડાયુક્ત પ્રદેશમાંથી ભાગ્યે જ કોઈ કરી શકત. માઈલોના પ્રવાસ પછી મેં તને મુક્તિનો મહાનંદ પૂરો પાડ્યો. એને માટે તારે મારો અનેકવાર અને અંતઃકરણપૂર્વક આભાર માનવો જોઈએ.

 

લાકડાએ સ્મિત સાથે ઉત્તર આપ્યો, માતા ! તારી સહૃદયતા તેમજ સહાયતા સારુ તારો અવશ્ય આભાર માનું છું. પરંતુ મેં તને ઉદ્ધાર કરવાનો અવસર આપ્યો એ શું ઓછું છે ? એના વિના આનંદની આવી અભિવ્યક્તિ તારાથી ભાગ્યે જ થઈ શકી હોત.

 

ત્યારે ગંગાનું ગુમાન ઓગળી ગયું.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer