પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

ગંગાસ્નાનની ભાવના

     
   
< BACK

પરિમલ

NEXT >
 

ગંગામાતામાં સ્નાન કરનારા કોઈક કિશોરને કોઈએ કહ્યું; ગંગામાં તો લોકો પોતાના સ્વજન કે સ્નેહી વતી સ્નાન કરે છે. તું પણ તેમનું સ્મરણ કરીને સ્નાન કરે છે કે શું ?

 

કિશોરે કહ્યું : ના.

 

ત્યારે શું તારા માતાપિતા તથા તારા મિત્રમંડળ વતી ?

 

ના, તેમની વતી પણ નહિ; કિશોરે ઉત્તર આપ્યો.

 

ત્યારે શું કોઈ દુર્ગતિ પામેલા સંબધીની સદગતિના સંકલ્પથી આ સ્નાન થઈ રહ્યું છે?

 

ના, એવા કોઈ સંકલ્પથી પ્રેરાઈને પણ મારું સ્નાન નથી થઈ રહ્યું.

 

તો ? શું તે કોઈપણ પ્રકારના પ્રયોજન વિના, કેવળ તારી જ તૃપ્તિ માટે થઈ રહ્યું છે ? એ તો મોટામાં મોટો સ્વાર્થ કહેવાય.

 

કિશોરે શાંતિથી કહ્યું : જેમના વતી કોઈયે સ્નાન કરનાર નથી, ને જેમની સદગતિ સારુ કોઈપણ પ્રયત્ન કરવા તૈયાર નથી, એમને જો પહોંચી શકતું હોય, તો મારા સ્નાનનું ફળ પહોંચે, એ ભાવના સાથે હું સ્નાન કરી રહ્યો છું. એની આગળ અથવા પાછળ બીજું કોઈ જ પ્રયોજન નથી.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer