પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

પુનિત પળની પ્રતિક્ષા

     
   
< BACK

પરિમલ

NEXT >
 

દુનિયાના દાવાનળને દફનાવી દેનારા દેવદૂતના દર્શન માટે મારું મન મનોરથ કરી રહ્યું છે. મારા મહાકવિ ! એ દાવાનળને દૂર કરવા, તારી કવિતા તથા તારા કર્મની કમનીય, કલ્યાણકારી માળા લઈને તું આવી પહોંચ, તેમજ તેની સૌરભથી સૌને સંજીવન ધરી દે, એ પુનિત પળની હું પ્રતીક્ષા કરું છું.

 

વિશ્વમાં વિનાશના વિકરાળ, વિષમય વાયુ વાયા કરે છે; સર્વસંહારની સામગ્રીના સંગ્રહ થયા કરે છે; વેદનાની વરાળ પર વરાળ ઊઠ્યા કરે છે; ને સંપ તથા શાંતિની સઘળી સાધના માટીમાં મળે છે. એ સાધનાને સફળ કરવા, તારી અનુરાગભરી આરાધનાને લઈને તું આવી પહોંચ, અને એના અમૃતમય અભિષેકથી આખીયે અવનીને અમીમય કર ને આશીર્વાદ ધર. એ પુનિત પળની હું પ્રતીક્ષા કરું છું.

 

બંધાયેલા બંદી બંદીખાનામાંથી મુક્તિ મેળવવા માટેના પોકાર પાડે છે. શોષિત શોષણમાંથી છૂટવાનાં સ્વપ્નાં સેવે છે. આતંકથી આર્ત અત્યાચારનો અંત આણવાની આરાધના કરે છે તથા તિરસ્કૃત પ્રેમની ને હડધૂત હૂંફની, અનાથ આશ્રયની અને દોષિત દોષના પરિમાર્જનની ભિક્ષા માગે છે. એ ભિક્ષાની ભેટ દેવા, તારા ભરપૂર ભંડારના ભવ્યાતિભવ્ય ભાગને ભેગો કરીને તું આવી પહોંચ, અને એના અનેરા આસ્વાદથી આ પીડિત, પ્યાસી પૃથ્વીના પ્રાણને પીયૂષ ધર, ને પ્રફુલ્લિત કર. એ પુનિત પળની હું પ્રતીક્ષા કરું છું.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer