|
Vibhuti Pada
: Verses 01 - 05
|
|
०१.
देशबन्धश्चित्तस्य धारणा । |
|
0૧. ચિત્તની વૃત્તિને બહારના અથવા તો શરીરની અંદરના કોઇપણ દેશ અથવા પદાર્થમાં
જોડી દેવાની ક્રિયાને ધારણા કહે છે.
ભ્રમરમધ્ય, કોઇપણ ચક્રનું સ્થાન, હૃદયકમલ ને એવા બીજા પ્રદેશ શરીરની અંદરના
દેશ કહેવાય છે. તેવી રીતે કોઇ છબી, મૂર્તિ, સૂર્ય, ચંદ્ર કે એવા બીજા બહારના
પદાર્થ બહારના દેશ કહેવાય છે. તેમાંથી કોઇપણ એક દેશમાં ચિત્તની વૃત્તિને લગાવી
શકાય છે.
------- |
|
०२.
तत्र प्रत्ययैकतानता ध्यानम्
।
|
|
0૨. જે વસ્તુમાં ચિત્તને લગાડવામાં આવે તેમાં તે એકતાન બનીને વહેવા માંડે,
તેના વિના ચિત્તની વૃત્તિ બીજે ક્યાંય જાય નહિ, તેને ધ્યાન કહે છે.
એ જ વાતને બીજા શબ્દોમાં કહેવી હોય તો કહી શકાય કે ધ્યાન એટલે ચિત્તવૃત્તિનો
ધ્યેય પદાર્થની અંદર વહેનારો એકાગ્ર ને સતત પ્રવાહ.
------- |
|
०३.
तद् एवार्थमात्रनिर्भासं स्वरूपशून्यम् इव समाधिः
।
|
|
03. ધ્યાન કરતાં કરતાં ચિત્ત જ્યારે ધ્યેય પદાર્થમાં ડૂબી જાય છે, પોતાના
સ્વરૂપને તદ્દન ભૂલી જાય છે, ને કેવલ ધ્યેયની જ સત્તા શેષ રહે છે અથવા તો
ધ્યાતા, ધ્યાન ને ધ્યેયની ત્રિપૂટી જ્યારે એક થઇ જાય છે, ત્યારે સમાધિ થઇ એમ
કહેવાય છે.
------- |
|
०४.
त्रयम् एकत्र संयमः
।
|
|
0૪. ત્રણે એકત્ર થાય અથવા કોઇ એક ધ્યેય પદાર્થમાં એ ત્રણેનો પ્રયોગ કરવામાં
આવે, ત્યારે તેને સંયમના સંયુક્ત નામે ઓળખવામાં આવે છે.
------- |
|
०५.
तज्जयात् प्रज्ञाऽऽलोकः
।
|
|
0પ. સાધક જ્યારે સંયમ પર વિજય મેળવી લે અથવા તો જે વસ્તુમાં સંયમ કરવા માંગે
તેમાં સંયમ કરવાની સહજ શક્તિ મેળવી લે, ત્યારે તેની બુદ્ધિ અલૌકિક પ્રકાશથી
પ્રકાશિત બની જાય છે.
|
|
(From Shri Yogeshwarji's
book entitled 'Patanjal Yog Darshan') |
|
॥
Patanjali's Yog Sutra
॥
|
Samadhi Pada |
Sadhan
Pada
|
Vibhuti Pada
|
Kaivalya Pada
| |