|
Vibhuti Pada
: Verses 31 - 35
|
|
३१.
कूर्मनाड्यां स्थैर्यम् ।
|
|
3૧. ઉપરના સૂત્રમાં કહેલા કૂપની એક કાચબાના આકારની નાડી છે. તેમાં સંયમ કરવાથી
સ્થિરતાની પ્રાપ્તિ થાય છે.
------- |
|
३२.
मूर्धज्योतिषि सिद्धदर्शनम् । |
|
3ર. મસ્તકમાં જે જ્યોતિ છે તેમાં સંયમ કરવાથી સંસારમાં વસનારા ને વિચરનારા
પ્રકટ ને અપ્રકટ સિદ્ધ પુરુષોનાં દર્શન થઇ શકે છે.
------- |
|
३३.
प्रातिभाद् वा सर्वम् ।
|
|
33. પ્રાતિભ જ્ઞાન વિવેકજનિત જ્ઞાનનું પૂર્વરૂપ છે. તેની પ્રાપ્તિથી કોઇ ખાસ
પ્રકારના સંયમ વિના જ, યોગી બધી વાતોને જાણી લે છે.
------- |
|
३४.
हृदये चित्तसंवित् । |
|
3૪. હૃદયકમળમાં ચિત્તનું સ્થાન છે. તેમાં સંયમ કરવાથી વૃત્તિઓ સાથે ચિત્તનું
જ્ઞાન થઇ જાય છે. અથવા તો ચિત્તના સ્વરૂપનું જ્ઞાન થઇ જાય છે.
------- |
|
३५.
सत्त्वपुरुषयोरत्यन्तासंकीर्णयोः प्रत्ययाविशेषो भोगः।
परार्थत्वात् स्वार्थसंयमात् पुरुषज्ञानम् । |
|
3પ. સત્વ એટલે બુદ્ધિ તેમ જ પુરુષ બંને તદ્દન જુદાં જુદાં છે કેમ કે બુદ્ધિ
જડ, પરિણામશીલ, ભોગ્ય ને ચંચલ છે; ને પુરુષ ચેતન, અપરિણામી, ભોક્તા ને અસંગ
છે. છતાં અજ્ઞાનને લીધે તે બંનેની એકતા લાગે છે. તેથી બંનેનું અલગ અલગ જ્ઞાન
નથી થતું. તે દશામાં ચિત્તના સુખ-દુઃખ, રાગ-દ્વેષ ને મોહ જેવા ધર્મોનું આરોપણ
અજ્ઞાની માણસ ચિત્તમાં પ્રતિબિંબિત ચૈતન્ય પુરુષમાં કરે છે. એ અભેદની
પ્રતીતિને ભોગ કહેવામાં આવે છે. એ અભેદવૃત્તિ જોકે ચિત્તનો ધર્મ છે, પરંતુ
સાચા અર્થમાં પુરુષને માટે જ છે. માટે પરાર્થ કહેવાય છે. આ ભોગમય વૃત્તિથી
જુદી એવી પુરુષની જે સ્વરૂપવિષયક વૃત્તિ પ્રકટે છે તે સ્વાર્થ કહેવાય છે. કેમ
કે તે પુરુષને માટે જ છે. તે સ્વાર્થવૃત્તિમાં સંયમ કરવાથી પુરુષનું જ્ઞાન થઇ
શકે છે. બુદ્ધિમાં પ્રતિબિંબિત થનારા પુરુષના ચેતનરૂપને તેવા સંયમથી જાણી
શકાય છે.
|
|
(From Shri Yogeshwarji's
book entitled 'Patanjal Yog Darshan') |
|
॥
Patanjali's Yog Sutra
॥
|
Samadhi Pada |
Sadhan
Pada
|
Vibhuti Pada
|
Kaivalya Pada
| |