અમને એવા સંત મળે.
દર્શનમાત્ર કર્યાથી જેનું, આતુર આંખ ઠરે,
અંતરને આરામ મળે ને, તાપ સમસ્ત ટળે... અમને.
શાંત પ્રસન્ન પવિત્ર સંયમી, સાચા સંત મળે;
દૂર કરે અંધાર તેજથી, ચિંતા શોક હરે... અમને.
ગંગાથી પણ નિર્મળ મનના, ભાવે હૃદય ભરે;
હિમગિરિ જેવા ગંભીર છતાં, રસના ધામ મળે... અમને.
મધુર વચનથી શાંતિ આપતા, પ્રભુને પ્રેમ કરે;
પ્રભુના દાસ સમા સંતોનાં, ચરણે મુક્તિ મળે... અમને.
- શ્રી યોગેશ્વરજી
Comments