if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

MP3 Audio

*

હે જ્ઞાનેશ્વર હે ધ્યાનેશ્વર,
હે યોગેશ્વર સંયોગેશ્વર
પ્રણામ શતશત હો તમને;
અનુગ્રહનું અમૃત વરસાવી
આજ કૃતાર્થ કરો અમને .. હે જ્ઞાનેશ્વર

મહિમા સુણી તમારો આવ્યાં
દૂર દૂરથી અમે અહીં,
ગુણ સંકીર્તન શ્રવણે મનને
હૈયું હાથ શક્યું ન રહી.
વિલંબ ના જ કરો વેળાસર
સત્કારો સપ્રેમ હવે ... હે જ્ઞાનેશ્વર

લૌકિક નથી લાલસા કોઇ,
આશ પારલૌકિક પણ ના;
વિવેક ને વૈરાગ્ય દાન દો,
પ્રેમ પવિત્ર સનાતન હો,
સિદ્ધિ શિખર સર કરી આતમ
રંગમહીં રસરાજ રમે ... હે જ્ઞાનેશ્વર

વાસના ન હો ક્ષુલ્લક મનમાં,
આત્માના અનુસંધાને;
જીવન ઉજવે ઉત્સવ નિશદિન,
પરિપ્લાવિત બનતાં ગાને.
વરસો સંજીવન રેલી દો
પ્રકાશ તરવાને તમને ... હે જ્ઞાનેશ્વર

- શ્રી યોગેશ્વરજી

 

Comments

Search Reset
1
Yatri
7 years ago
Very nice! May Maa-Prabhu bless you to achieve ultimate goal. Jay Maa!
Like Like Quote
2
યોગેશ કવીશ્વર
7 years ago
પ્રથમ વખત સ્વર્ગારોહણની મુલાકાત લીધા બાદ અનેક જન્મોથી ભવાટવીમાં રઝળપાટ કર્યા પછી જીવનમાં સમર્થનું શરણું મળ્યું છે અને આ અદ્દભૂત યોગ પ્રગટ્યો છે ત્યારે પરમ કૃપાળુ માના સત્વરે સત્કારે અને અનુગ્રહનું અમૃત વરસાવીને અમને પણ તારે એવી પ્રાર્થના સહજ રીતે થઇ જાય છે.
પૂજ્ય પ્રભુ દ્વારા રચિત આ ગીત મને ખૂબ જ ગમે છે અને પૂજ્ય માના સુમધુર સ્વરમાં વારંવાર સાંભળું છું. તેમાં હે જ્ઞાનેશ્વરના બદલે હે જ્ઞાનેશ્વરી થઈ ગયું અને સ્વર્ગારોહણની મુલાકાત પછીના મનના ભાવો પણ એમાં ઝીલાયા એટલે સહજ રીતે જ એ પૂજ્ય માની પ્રાર્થનામાં પરિવર્તિત થઈ ગઈ!

હે જ્ઞાનેશ્વરી હે ધ્યાનેશ્વરી,
હે યોગેશ્વરી હે સર્વેશ્વરી
પ્રણામ શતશત હો તમને;
અનુગ્રહનું અમૃત વરસાવી
આજ કૃતાર્થ કરો અમને .. હે જ્ઞાનેશ્વરી..

મહિમા સુણી તમારો આવ્યાં
દૂર દૂરથી અમે અહીં,
ગુણ સંકીર્તન શ્રવણે મનને
હૈયું હાથ શક્યું ન રહી.
વિલંબ ના જ કરો વેળાસર
સત્કારો સપ્રેમ હવે ... હે જ્ઞાનેશ્વરી

લૌકિક નથી લાલસા કોઇ,
આશ પારલૌકિક પણ ના;
વિવેક ને વૈરાગ્ય દાન દો,
પ્રેમ પવિત્ર સનાતન હો,
સિદ્ધિ શિખર સર કરી આતમ
રંગમહીં જગદંબ રમે ... હે જ્ઞાનેશ્વરી

વાસના ન હો ક્ષુલ્લક મનમાં,
આત્માના અનુસંધાને;
જીવન ઉજવે ઉત્સવ નિશદિન,
પરિપ્લાવિત બનતાં ગાને.
વરસો સંજીવન રેલી દો
પ્રકાશ તરવાને તમને ... હે જ્ઞાનેશ્વરી
Like Like Quote

Add comment

Submit
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.