યાદ તમારી દ્વિગુણિત બનતાં મારા હૃદયે જાગી,
સ્મરણ રહ્યાં છે હૃદય વલોવી તમારાં શું બડભાગી !
સારી સૃષ્ટિ પર રાત્રીએ અંચલ નાખ્યો આજ;
પ્રાણી છે સૌ શાંત.
એક મહારા મનોનભે છો પ્રકટ્યાં તમે પ્રકાશ,
દૂરદૂર તારકગણ ખીલ્યાં તેવા સ્મિતની સાથ.
મને જ ના આરામ.
પથારી રહી મારી સૂની, આળોટું છે ખાલી;
તમારી નથી સંનિધિ તો છે સુખ ના મુજને કાંઇ.
ઓ મુજ જીવનપ્રાણ પધારો, વીતે મોંઘી રાત;
આતુર ને 'પાગલ' છું સાચે તમારા મિલન કાજ.
- શ્રી યોગેશ્વરજી