જીવનમાં એકલું અમૃત જ નથી, વિષ પણ છે,
છતાં પણ વિષથી ડરી જવાનું કામ નથી.
પ્રત્યેક પ્રકારની પ્રવૃત્તિ કરતાં,
પ્રત્યેક પગલે વિષનો પરિચય થતો રહે છે.
સુધા તો કોઈક વિરલ સંજોગોમાં સદ્દભાગ્યે જ સાંપડે છે.
વિષની સામે વિષવમન કરવાથી લાભ નહિ થાય : કોઈ હેતુ નહિ સરે.
તેથી તો વાતાવરણ વધારે વિષાક્ત અને વિકરાળ બનશે,
સ્વયં શંકર બની જા એટલે થયું.
હા; કલ્યાણકારી દેવ.
વિષ તારે માટે અમૃત બનશે; તને મહિમા ધરશે.
- શ્રી યોગેશ્વરજી