સમાજમાં જો બધા સત્યપરાયણ, સદાચારી, સત્કર્મી, સેવાભાવી ને સ્નેહમય જીવન જીવતા થઈ જાય તો જુદી જુદી જાતના ભયોનો અને એમને પેદા કરનારાં કારણોનો કાયમ માટે લોપ થઈ જાય. માનવસમાજની એ કરુણતા છે કે મોટા ભાગના માનવો એવું જીવન નથી જીવતાં. એટલે સમાજમાં અનેક જાતના ભયોની ભૂતાવળ દેખાયા કરે છે. માનવમન પારસકૃત નહિ થાય ત્યાં સુધી ભયમુક્ત બનવાની કોઈયે આશા નહિ રહે. જગતમાં સંશોધનના ક્ષેત્રમાં વિજ્ઞાન આગળ વધતું જાય છે અને અવનવા આવિષ્કારો કરે છે. પરંતુ એની સાથે માનવનું મન સાત્વિક, સદાચારી ને સંયમી નહિ થતું જાય તો ભય રહેવાનો જ, એનું અંતર અશાંત રહેવાનું. વિજ્ઞાનની સાથે મનોવિજ્ઞાન અને આત્મવિજ્ઞાનનો વિકાસ પણ થવો જ જોઈએ. તંદુરસ્ત, સુસંસ્કૃત, સમૃદ્ધ સમાજને માટે એ આવશ્યક છે. પરંતુ એ આવશ્યકતાનું સ્મરણ જોઈએ તેટલું ના રહેવાથી, પશ્ચિમના દેશોમાં દેખાય છે તેમ, પ્રજા એક પ્રકારની અસ્વસ્થતા, ઉદ્વિગ્નતા અને ભીતિમાં જીવી રહી છે. ભયની એ લાગણી જીવનને માટે આશીર્વાદરૂપ તો નથી જ. ભય માનવના ચિત્તતંત્ર પર ઘણી અસર કરે છે, અંતરને અસ્વસ્થ બનાવે છે, અને પ્રાણમાં ખળભળાટ મચાવી, જ્ઞાનતંતુઓમાં નિર્બળતા લાવી, શરીરને નબળું કરે છે. જે વ્યક્તિ કે સમષ્ટિને સતત ભયની નીચે જીવવું પડે છે તે નરકયાતના ભોગવે છે અથવા મૃતઃપ્રાય બનીને જીવે છે એવું કહેવામાં અતિશયોક્તિ નથી થતી.
ભયનાં કેટલાંક સ્વરૂપો ઉદાત્ત, આશીર્વાદરૂપ અને વિકાસમાં સાધક પણ છે એ હકીકત ખાસ યાદ રાખવાની છે. જેમ કે, લોકાપવાદનો ભય, ઈશ્વરનો ભય, પાપનો ભય, મરણનો ને પછીની દુર્ગતિનો ભય, અને સન્માર્ગમાંથી ચલિત થવાનો ભય. લોકાપવાદનો ભય માણસને હંમેશા જાગ્રત રાખે છે ને લોકોમાં નિંદાપાત્ર ના થવાય તેવાં કર્મો કરવાની પ્રેરણા પૂરી પાડે છે. ઈશ્વરનો ભય રાખીને માણસ પાપ નથી કરતો. પાપના ભયથી સત્કર્મપરાયણ બને છે. મરણના ભયથી મરણ મહોત્સવરૂપ બની રહે એ માટે ડગલે ને પગલે સાવધ રહીને સાધન કરી છૂટે છે. મરણ પછીની દુર્ગતિના ભયને લીધે એવી દુર્ગતિ ના થાય તે માટે દુષ્કર્મોથી મુક્ત રહે છે ને સન્માર્ગમાંથી ચલિત થવાના ભયને લીધે પળેપળે જાગ્રત રહે છે, સંભાળીને ચાલે છે. એ ભયો મનને નિર્બળ બનાવતા હોય તો બાધક પણ ઠરે છે.
લોકાપવાદના ભયથી કેટલીક વાર માણસ લોકોમાં અપ્રિય ના થવા માટે સાચું કહેતાં કે કરતાં ડરે છે. ઈશ્વરનો ભય માત્ર નામનો જ રાખે છે. પાપનો ભય પોતાની દુર્બળતાને દબાવવા કે પોષવા માટે જ સેવતો હોય છે. મરણનો ભય રાખીને ડરપોક બને છે ને જીવન પ્રત્યેનો પ્રેમ અને રસ ખોઈ બેસે છે. મરણ પછીની દુર્ગતિનો ભય રાખીને સત્કર્મોનું અનુષ્ઠાન નથી કરતો, અને સન્માર્ગમાંથી ચલિત થવાના ભયથી સાશંક, અસ્વસ્થ અને ચિંતિત બની જાય છે. એવી પ્રતિકૂળ અસરોમાંથી બચીને જો ભયનો ઉપયોગ માણસ પોતાના જીવનને વિશુદ્ધ કે વિકસિત બનાવવા કરતો હોય તો તે ભયો આવકારદાયક છે. કવિ કાલિદાસના શબ્દોમાં કહીએ તો એ સંજોગોમાં 'વિષમપ્યમૃતં ભવેત્’ એ ભયનું વિષ એને માટે અમૃતરૂપ થઈ રહેશે. નહિ તો 'અમૃતં વા વિષમ્’ અમૃતને બદલે વિષ બનીને વિઘાતક ઠરશે. પરંતુ ઉપર વર્ણવેલા વિવિધ ભય એ ભય નથી પરંતુ ખ્યાલો કે વિચારો છે એમ કહેવું ઉચિત છે. ભય તો માણસ સંસારમાં કોઈનો પણ શા માટે રાખે અને એ ભય રાખે એવી ભલામણ પણ આપણે શા માટે કરીએ ? સંસારમાં ભયનું નહિ, અભયનું; વેરનું નહિ, પ્રેમનું; શોકનું નહિ, હર્ષનું; કપટનું નહિ, નિષ્કપટતાનું; અશાંતિનુ નહિ, શાંતિનું; ને આસુરી સંપત્તિનું નહિ, દૈવી સંપત્તિનું સામ્રાજ્ય ફેલાય એવી ઈચ્છા જ આપણે તો રાખવી જોઈએ.
ભયની વૃત્તિ પર વિજય મેળવવા માટે ઈશ્વરની સર્વવ્યાપકતા ને સર્વસમર્થતાનો વારંવારનો વિચાર ખૂબ જ ઉપયોગી થઈ પડે છે એ વાત અગાઉ કહી દીધી છે. ઈશ્વર સર્વવ્યાપક છે એવું જાણ્યા પછી કોઈનો પણ ભય શા માટે રહે ? ઈશ્વર સર્વત્ર છે ને સૌમાં છે, એમના વિના સંસારના પ્રેરક-નિયામક બીજા કોઈ જ નથી, પછી કોઈનોય ભય રાખવાનું કારણ ક્યાં છે ? ઉપનિષદ એ જ અર્થમાં કહ્યું છે કે, 'દ્વિતી યાદ્વૈ ભયં ભવતિ’ ભેદભાવમાંથી, દ્વૈતની ભાવનામાંથી જ ભય જન્મે છે; ઈશ્વરના દર્શનમાંથી નહિ. પ્રહ્ લાદ બધે ઈશ્વરને જોતા એથી નિર્ભય હતા. મીરાંનું પણ એવું જ હતું. સાચા જ્ઞાની કે ભક્તના સંબંધમાં એવું જ સમજવાનું છે. ઈશ્વર સર્વવ્યાપક છે તેમ સર્વસમર્થ પણ છે એવું જણાઈ જાય તો બધી જાતની ચિંતા, વ્યથા તથા ભીતિનો અંત આવે. સર્વસમર્થ ઈશ્વરનું શરણ લેવાથી ને સ્મરણ કરવાથી બધાં જ વિધ્નો દૂર થઈ જશે ને જીવન સલામત તેમજ ઉજ્જવળ બનશે એવી શ્રદ્ધાનો ઉદય થતાં અને એ બળવાન બનતાં માનવ નિશ્ચિંત અને નિર્ભય બને છે. સાથેસાથે, આત્મસ્વરૂપના વિચારથી પણ નિર્ભયતા કેળવી શકાય છે. આત્મસ્વરૂપનું ચિંતન-મનન કરનાર જાણે છે કે પોતે શુદ્ધ, બુદ્ધ, આત્મા છે, રાગદ્વેષ, કામક્રોધ તથા ભયાદિથી મુક્ત છે. આત્મજ્ઞાનની એવી વિચારણાથી આત્મભાવ દ્રઢ બનતાં માણસ નિર્ભય બને છે. એવી રીતે ભક્તિભાવને વધારીને તથા આત્મજ્ઞાનનો આધાર લઈને બંને રીતે ભયની વૃત્તિમાંથી મુક્તિ મેળવી શકાય છે.
તાજેતરમાં થઈ ગયેલા મંગતરામ એક વાર કાશ્મીરના પર્વતોની એક ગુફામાં રહેલા. એક દિવસ રાતે પોતાના નિત્યનિયમ પ્રમાણે સેવક બનારસીદાસને રાતે એક વાગે ઉઠાડ્યા ને ફાનસ કરીને પોતે જ લખાવે તે લખવા કહ્યું.
બનારસીદાસ રોજ તો લખવા મંડી જતા, પરંતુ એ દિવસે એમની હિંમત ના ચાલી, કારણ કે ગુફાના દ્વાર પાસેથી વાઘનો અવાજ આવતો’તો !
એમણે મહાત્મા મંગતરામને પોતાનો ભય કહી બતાવ્યો. મંગતરામ હસીને બોલ્યા : 'હજુ તને ઈશ્વરની સર્વવ્યાપકતામાં ને રક્ષકતામાં વિશ્વાસ નથી ?’
ઊભા થઈને દ્વાર પાસે એ પહોંચ્યા ને વાઘના શરીરે હાથ ફેરવતા બોલ્યા : 'બેટા, હવે ચાલ્યો જા. બનારસી ડરે છે. એનો પ્રેમ અને વૈરાગ્ય હજુ કાચો છે.’
ભયનાં કેટલાંક સ્વરૂપો ઉદાત્ત, આશીર્વાદરૂપ અને વિકાસમાં સાધક પણ છે એ હકીકત ખાસ યાદ રાખવાની છે. જેમ કે, લોકાપવાદનો ભય, ઈશ્વરનો ભય, પાપનો ભય, મરણનો ને પછીની દુર્ગતિનો ભય, અને સન્માર્ગમાંથી ચલિત થવાનો ભય. લોકાપવાદનો ભય માણસને હંમેશા જાગ્રત રાખે છે ને લોકોમાં નિંદાપાત્ર ના થવાય તેવાં કર્મો કરવાની પ્રેરણા પૂરી પાડે છે. ઈશ્વરનો ભય રાખીને માણસ પાપ નથી કરતો. પાપના ભયથી સત્કર્મપરાયણ બને છે. મરણના ભયથી મરણ મહોત્સવરૂપ બની રહે એ માટે ડગલે ને પગલે સાવધ રહીને સાધન કરી છૂટે છે. મરણ પછીની દુર્ગતિના ભયને લીધે એવી દુર્ગતિ ના થાય તે માટે દુષ્કર્મોથી મુક્ત રહે છે ને સન્માર્ગમાંથી ચલિત થવાના ભયને લીધે પળેપળે જાગ્રત રહે છે, સંભાળીને ચાલે છે. એ ભયો મનને નિર્બળ બનાવતા હોય તો બાધક પણ ઠરે છે.
લોકાપવાદના ભયથી કેટલીક વાર માણસ લોકોમાં અપ્રિય ના થવા માટે સાચું કહેતાં કે કરતાં ડરે છે. ઈશ્વરનો ભય માત્ર નામનો જ રાખે છે. પાપનો ભય પોતાની દુર્બળતાને દબાવવા કે પોષવા માટે જ સેવતો હોય છે. મરણનો ભય રાખીને ડરપોક બને છે ને જીવન પ્રત્યેનો પ્રેમ અને રસ ખોઈ બેસે છે. મરણ પછીની દુર્ગતિનો ભય રાખીને સત્કર્મોનું અનુષ્ઠાન નથી કરતો, અને સન્માર્ગમાંથી ચલિત થવાના ભયથી સાશંક, અસ્વસ્થ અને ચિંતિત બની જાય છે. એવી પ્રતિકૂળ અસરોમાંથી બચીને જો ભયનો ઉપયોગ માણસ પોતાના જીવનને વિશુદ્ધ કે વિકસિત બનાવવા કરતો હોય તો તે ભયો આવકારદાયક છે. કવિ કાલિદાસના શબ્દોમાં કહીએ તો એ સંજોગોમાં 'વિષમપ્યમૃતં ભવેત્’ એ ભયનું વિષ એને માટે અમૃતરૂપ થઈ રહેશે. નહિ તો 'અમૃતં વા વિષમ્’ અમૃતને બદલે વિષ બનીને વિઘાતક ઠરશે. પરંતુ ઉપર વર્ણવેલા વિવિધ ભય એ ભય નથી પરંતુ ખ્યાલો કે વિચારો છે એમ કહેવું ઉચિત છે. ભય તો માણસ સંસારમાં કોઈનો પણ શા માટે રાખે અને એ ભય રાખે એવી ભલામણ પણ આપણે શા માટે કરીએ ? સંસારમાં ભયનું નહિ, અભયનું; વેરનું નહિ, પ્રેમનું; શોકનું નહિ, હર્ષનું; કપટનું નહિ, નિષ્કપટતાનું; અશાંતિનુ નહિ, શાંતિનું; ને આસુરી સંપત્તિનું નહિ, દૈવી સંપત્તિનું સામ્રાજ્ય ફેલાય એવી ઈચ્છા જ આપણે તો રાખવી જોઈએ.
ભયની વૃત્તિ પર વિજય મેળવવા માટે ઈશ્વરની સર્વવ્યાપકતા ને સર્વસમર્થતાનો વારંવારનો વિચાર ખૂબ જ ઉપયોગી થઈ પડે છે એ વાત અગાઉ કહી દીધી છે. ઈશ્વર સર્વવ્યાપક છે એવું જાણ્યા પછી કોઈનો પણ ભય શા માટે રહે ? ઈશ્વર સર્વત્ર છે ને સૌમાં છે, એમના વિના સંસારના પ્રેરક-નિયામક બીજા કોઈ જ નથી, પછી કોઈનોય ભય રાખવાનું કારણ ક્યાં છે ? ઉપનિષદ એ જ અર્થમાં કહ્યું છે કે, 'દ્વિતી યાદ્વૈ ભયં ભવતિ’ ભેદભાવમાંથી, દ્વૈતની ભાવનામાંથી જ ભય જન્મે છે; ઈશ્વરના દર્શનમાંથી નહિ. પ્રહ્ લાદ બધે ઈશ્વરને જોતા એથી નિર્ભય હતા. મીરાંનું પણ એવું જ હતું. સાચા જ્ઞાની કે ભક્તના સંબંધમાં એવું જ સમજવાનું છે. ઈશ્વર સર્વવ્યાપક છે તેમ સર્વસમર્થ પણ છે એવું જણાઈ જાય તો બધી જાતની ચિંતા, વ્યથા તથા ભીતિનો અંત આવે. સર્વસમર્થ ઈશ્વરનું શરણ લેવાથી ને સ્મરણ કરવાથી બધાં જ વિધ્નો દૂર થઈ જશે ને જીવન સલામત તેમજ ઉજ્જવળ બનશે એવી શ્રદ્ધાનો ઉદય થતાં અને એ બળવાન બનતાં માનવ નિશ્ચિંત અને નિર્ભય બને છે. સાથેસાથે, આત્મસ્વરૂપના વિચારથી પણ નિર્ભયતા કેળવી શકાય છે. આત્મસ્વરૂપનું ચિંતન-મનન કરનાર જાણે છે કે પોતે શુદ્ધ, બુદ્ધ, આત્મા છે, રાગદ્વેષ, કામક્રોધ તથા ભયાદિથી મુક્ત છે. આત્મજ્ઞાનની એવી વિચારણાથી આત્મભાવ દ્રઢ બનતાં માણસ નિર્ભય બને છે. એવી રીતે ભક્તિભાવને વધારીને તથા આત્મજ્ઞાનનો આધાર લઈને બંને રીતે ભયની વૃત્તિમાંથી મુક્તિ મેળવી શકાય છે.
તાજેતરમાં થઈ ગયેલા મંગતરામ એક વાર કાશ્મીરના પર્વતોની એક ગુફામાં રહેલા. એક દિવસ રાતે પોતાના નિત્યનિયમ પ્રમાણે સેવક બનારસીદાસને રાતે એક વાગે ઉઠાડ્યા ને ફાનસ કરીને પોતે જ લખાવે તે લખવા કહ્યું.
બનારસીદાસ રોજ તો લખવા મંડી જતા, પરંતુ એ દિવસે એમની હિંમત ના ચાલી, કારણ કે ગુફાના દ્વાર પાસેથી વાઘનો અવાજ આવતો’તો !
એમણે મહાત્મા મંગતરામને પોતાનો ભય કહી બતાવ્યો. મંગતરામ હસીને બોલ્યા : 'હજુ તને ઈશ્વરની સર્વવ્યાપકતામાં ને રક્ષકતામાં વિશ્વાસ નથી ?’
ઊભા થઈને દ્વાર પાસે એ પહોંચ્યા ને વાઘના શરીરે હાથ ફેરવતા બોલ્યા : 'બેટા, હવે ચાલ્યો જા. બનારસી ડરે છે. એનો પ્રેમ અને વૈરાગ્ય હજુ કાચો છે.’
આજ્ઞાંકિત સેવકની જેમ વાઘ જતો રહ્યો એટલે એ અંદર આવ્યા. બનારસીદાસ તો એ જોઈને આભા જ બની ગયા. મંગતરામની મહાન શક્તિના અનુભવથી એમને માટેનો આદરભાવ વધી પડ્યો.
ઈશ્વરની મંગલમયતામાં વિશ્વાસ થવાથી પણ અભયની પ્રાપ્તિ સહેલાઈથી થઈ શકે છે. પછી ભૂત કે ભાવિ કશાનો ભય નથી રહેતો, ગ્રહ કે નક્ષત્રનો પણ નહિ. માણસ જાણે છે કે ઈશ્વર મંગલમય હોવાથી એણે જે કર્યું છે, એ જે કરે છે ને કરશે તે પણ મંગલને માટે જ હતું, છે ને હશે. એટલે એ સંબંધી ભીતિ રાખવાનું કે દુઃખી થવાનું કોઈ જ કારણ નથી. કેટલાક ભયો કલ્પિત અથવા માની લીધેલા હોય છે, ને કેટલાક વાસ્તવિક અથવા કારણયુક્ત. માની લીધેલા, વજૂદ વગરના, ભયોમાંથી છૂટવાનું અશક્ય થઈ પડે છે. ઈશ્વરકૃપા ને મજબૂત મનોબળ હોય તો જ એમાંથી છૂટી શકાય છે, બાકી કારણયુક્ત નાનામોટા ભયો, એમના ઉપાયો અજમાવીને, દૂર કરી શકાય છે. એકદમ અભયની અવસ્થામાં કદાચ ના રહી શકાય તો પણ વધારેમાં વધારે અભયની અવસ્થામાં તો જીવી જ શકાય છે. એવી રીતે જિવાય તો પણ ઓછું નથી.
- શ્રી યોગેશ્વરજી