Friday, February 10, 2012
   
Text Size

Verse 06-10

कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् ।
इन्द्रियार्थान्विमूढात्मा मिथ्याचारः स उच्यते ॥३-६॥

karmendriyani sanyamya yah aste manasa smaran
indriyarthana vimudhatma mithya charah sah uchayate

કાબૂ કરી ઈન્દ્રિયનો મનથી સ્મરણ કરે,
વિષયોનું જો માનવી, તો તે દંભ કરે.
*
यस्त्विन्द्रियाणि मनसा नियम्यारभतेऽर्जुन ।
कर्मेन्द्रियैः कर्मयोगमसक्तः स विशिष्यते ॥३-७॥

yah tu indriyani mansa niyamya arbhate arjuna
karmendriyaih karmayogam asaktah sah vishishyate

મનથી સંયમ સાધતા અનાસક્ત પણ જે,
કર્મ કરે ઈન્દ્રિયથી શ્રેષ્ઠ ગણાયે તે.
*
MP3 Audio

*
नियतं कुरु कर्म त्वं कर्म ज्यायो ह्यकर्मणः ।
शरीरयात्रापि च ते न प्रसिद्ध्येदकर्मणः ॥३-८॥

niyatam karu karma tvam karma jyayo hi akarmanah
shariryatra api cha te na prasidhyayeda karmanaha
*
यज्ञार्थात्कर्मणोऽन्यत्र लोकोऽयं कर्मबन्धनः ।
तदर्थं कर्म कौन्तेय मुक्तसङ्गः समाचर ॥३-९॥

yagyarthata karmanah anyatra lokah ayam karmabandhanah
tada artham karma kaunteya mukta sangah samachar

નિયત કર્મ કર, શ્રેષ્ઠ છે, અકર્મથી તો કર્મ,
અનાસક્ત બનતાં સદા, તેથી તું કર કર્મ.
*
सहयज्ञाः प्रजाः सृष्ट्वा पुरोवाच प्रजापतिः ।
अनेन प्रसविष्यध्वमेष वोऽस्त्विष्टकामधुक् ॥३-१०॥

sahayagyah prajah shristava pura uvacha prajapatih
anena pravishyachhvan aishah vah astu istakamdhuk

બ્રહ્માએ આ સૃષ્ટિના આરંભે જ કહ્યું,
કામધેનુ આ યજ્ઞથી સર્જો સૃષ્ટિ કહ્યું.॥૧૦॥

Meaning
जो व्यक्ति अपने कर्मेन्द्रियों को बलपूर्वक रोककर, मन ही मन विषयों के बारे में सोचता है वह मिथ्याचारी या तो ढोंगी है । इसलिए अपनी इन्द्रियों और मन को संयमित करके सहज कर्म करना बेहतर है । हे अर्जुन, जो कर्म शास्त्रविहित है (अर्थात् शास्त्र में बताये गये है) उसे तुम करो क्योंकि कर्म न करने (कर्मत्याग) की तुलना में कर्म करना बहेतर है । कर्म किये बिना शरीर का निर्वाह करना संभव नहीं है । अतः कर्म करो मगर यज्ञभाव से करो क्योंकि यज्ञभाव के अतिरिक्त किया गया कर्म मनुष्य के बंधन का कारण बनता है । हे कौन्तेय, तुम आसक्ति रहित होकर यज्ञभाव से कर्मो का अनुष्ठान करो । यज्ञ से ही सृष्टि के आरंभ में प्रजापति ब्रह्मा ने प्रजाओं की रचना की और कहा की इसी प्रकार भलीभाँति यज्ञ कर्म करते रहने से तुम्हारी वृद्धि होगी और तुम्हारे मन की कामनाऐं पूरी होंगी ।
*
જે મનુષ્ય બહારથી પોતાની ઈન્દ્રિયોનો બળપૂર્વક કાબુ કરે અને મનની અંદર વિષયોનું સેવન કરે છે તે ઢોંગી છે. મનથી પોતાની ઈન્દ્રિયોનો સંયમ સાધીને જે ફલાશા વગર સહજ રીતે કર્મોનું અનુષ્ઠાન કરે છે તે ઉત્તમ છે. હે અર્જુન, તારે માટે જે પણ કર્મ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે તે તું કર કારણ કે કર્મ ન કરવા (અર્થાત્ કર્મનો ત્યાગ કરવા) કરતાં અનાસક્ત રહીને કર્મ કરવાનું શ્રેષ્ઠ કહેવાયું છે. જો તું કર્મ નહીં કરે તો તારો જીવનનિર્વાહ પણ કેવી રીતે થશે ? આસક્તિથી કરેલ કર્મો માનવને કર્મબંધનથી બાંધે છે.  એથી હે અર્જુન, તું કર્મ કર, પરંતુ યજ્ઞભાવે અલિપ્ત રહીને કર. બ્રહ્માએ સૃષ્ટિના આરંભમાં જ કહ્યું કે ‘યજ્ઞ કરતાં રહો અને વૃદ્ધિ પામતા રહો. યજ્ઞ તમારી ઈચ્છાઓની પૂર્તિનું સાધન બનો.’

Today's Quote

“Let me light my lamp", says the star, "And never debate if it will help to remove the darkness.”
- Rabindranath Tagore 
12.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 28 guests online

View site in