Chapter 09
MP3 Audio
Bhagavad Gita - Chapter 09 : Sanskrit
Raj vidya-Raj guhya Yog
In this chapter, Lord Krishna elaborate upon secret and confidential knowledge about divinity. Towards the end of the chapter, Lord Krishna explains that by selfless service, one attains him.
અધ્યાય નવમો : રાજવિદ્યારાજગુહ્યયોગ
ભગવાન કહે છે કે બધા જીવો મારા અંશરૂપ છે. તે મારામાં રહેલા છે પણ હું તેમાં લેપાયેલો નથી. પ્રકૃતિનો આશ્રય લઇ હું આ સૃષ્ટિની રચના કરું છે. મૂઢ લોકો મને કેવળ મનુષ્યની જેમ જુએ છે પરંતુ મારા વિરાટ રૂપને પિછાની શકતા નથી. કારણ કે મૂઢ જનોના કર્મ હલકાં અને વિચાર મેલા હોય છે. તેઓ જ્ઞાનકર્મનું ફળ પામતાં નથી અને મોહમયી પ્રકૃતિમાં જ ડૂબેલાં રહે છે. કોઇ મહાત્મા જનો જ મને ભજીને મને પામે છે.
જ્યાં સુધી જીવ મને પામતો નથી, જાણતો નથી ત્યાં સુધી આવાગમનના ચક્રમાંથી છૂટી શકતો નથી. તેથી ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન ! તું જે જે કર્મો કરે, તે મને અર્પણ કરીને કરજે, અહંભાવ રાખ્યા વિના કરજે, તો તું તેમાં લેપાઇશ નહીં અને મુક્તિને પામશે. સંસારના પ્રત્યેક જીવમાં હું રહેલો છું એમ જાણીને મનથી વંદન કરજે અને મન-વાણીથી કેવળ મારો ભક્ત બનજે તો તું શાંતિ અને સુખના સામ્રાજ્યનો અધિકારી બનશે.
Explore below verses from Chapter 09 of Bhagavad Gita alongwith mp3 audio in Sanskrit by Lata Mangeshkar from album 'Essential chants of Gita'.

