Chapter 11
MP3 Audio
Bhagavad Gita - Chapter 11 : Sanskrit
Vishwaroop Darshan Yog
To satisfy the desire of Arjuna to behold the divine form, Lord Krishna bestow divine eye to Arjuna. In the divine form, Arjuna could see all the warriors entering in Lord's mouth and get annihilated. Arjuna realizes that it does not matter whether he kills them or not, they are going to die of their own destiny. Killing them in the battle field is not a sin but part and partial of his duty. Arjuna also realize that Krishna is not just his charioteer or close friend but the manifestation of supreme divinity himself. He therefore apologize for his past misbehavior and sing the songs of His glory.
અધ્યાય અગિયારમો : વિશ્વરૂપદર્શન યોગ
ભગવાને દસમા અધ્યાયમાં પોતાના વ્યાપક સ્વરૂપનું વર્ણન કર્યું એથી અર્જુનને સ્વાભાવિક જ એ સ્વરૂપ નિહાળવાની ઇચ્છા જાગી અને તેણે તે ભગવાન આગળ વ્યક્ત કરી.
ભગવાને જણાવ્યું કે દિવ્ય સ્વરૂપનું દર્શન સાધારણ ચર્મચક્ષુઓ વડે કરવું શક્ય નથી. એ માટે દિવ્ય ચક્ષુઓ જોઇએ. ભગવાને કૃપા કરી અર્જુનને દિવ્ય ચક્ષુ પ્રદાન કર્યાં કે જેના વડે તે ભગવાનનું અપાર મહિમાવંતુ રૂપ નિહાળી શક્યો. અર્જુને જોયું કે તે સ્વરૂપના હજારો હાથ હતા, હજારો મુખ હતા, હજારો પગ હતા. ઘરેણાં અને શસ્ત્રોનો ત્યાં પાર ન હતો. માળા અને ગંધથી શરીર શોભિત હતું. એમાં બધા જ લોક સમાયેલા હતા. તેનું આદિ કે અંત જણાતું ન હતું. તેજના અંબાર સમા, સૂર્ય-ચંદ્રની આંખવાળા, નભને અડનારા એ તેજોમય સ્વરૂપમાં હજારો જીવો પ્રવેશી રહ્યા હતા.
ભગવાને અર્જુનને બતાવ્યું કે જે વીરોને તે રણભૂમિમાં નિહાળી રહ્યો છે તે સર્વે નાશ પામનાર છે. યુદ્ધ તો માત્ર નિમિત્ત જ છે. માટે ભય તજી યુદ્ધ કર ને વિજયી બન.
ભગવાનના દિવ્ય સ્વરૂપ જોઇ અર્જુન સ્તુતિ કરે છે અને તેમને અત્યાર સુધી સામાન્ય માનવ ગણી, પોતે તેમની સાથે મિત્ર રૂપે કરેલ વર્તાવ બદલ માફી માગે છે.
ભગવાન અર્જુનને કહે છે તેં જે રૂપનું દર્શન કર્યું તે હજુ સુધી કોઇએ જોયું જ નથી. દેવોને માટે પણ તે રૂપ જોવું મુશ્કેલ છે. વેદ, યજ્ઞ, તપ કે દાનથી એ રૂપ નિહાળી શકાતું નથી. માત્ર અનન્ય ભક્તિથી જ તેને જોઇ શકાય છે. આમ કહી ભગવાન હવે ભક્તિનો મહિમા ગાય છે.
Explore below verses from Chapter 11 of Bhagavad Gita alongwith mp3 audio in Sanskrit.
