Chapter 14
MP3 Audio
Bhagavad Gita - Chapter 14 : Sanskrit
Gunatraya-vibhag Yog
All bodied souls are under the influence of three qualities or nature called satva, raj and tam. In this chapter, Lord Krishna presents comprehensive analysis of how these qualities act upon a person; how one can rise above their influence and the characteristics of a person who has transcended them.
અધ્યાય ચૌદમો : ગુણત્રયવિભાગ યોગ
આ અધ્યાયમાં ભગવાન ત્રણ પ્રકારનાં ગુણોનું વર્ણન કરે છે. ભગવાન કહે છે કે ત્રણ ગુણવાળી પ્રકૃતિના આધારથી હું સૃષ્ટિની રચના કરું છું. સત્વ, રજ અને તમ - એ ત્રણ પ્રકૃતિના ગુણો છે જે માણસને શરીરમાં મોહિત કરે છે.
સત્વગુણ જ્ઞાન સાથે, રજોગુણ કર્મ સાથે અને તમોગુણ ઉંઘ અને આળસ સાથે માણસને બાંધે છે. દરેક શરીરધારીમાં આ ગુણોનો વત્તોઓછો પ્રભાવ જોવા મળે છે. લોભ અને તૃષ્ણા વધે તો રજોગુણનો ઇન્દ્રિયો પર કાબૂ વધ્યો એમ કહી શકાય. તેવી જ રીતે વિવેક તૂટે અને પ્રમાદ, આળસ થાય તો તમોગુણ વધ્યો જાણવો. સાત્વિક ગુણવાળો ઉત્તમ, રાજસ ગુણવાળો મધ્યમ અને તમોગુણવાળો અધમ ગતિને લભે છે. જે માનવ આ ગુણોને જીતે છે તે જન્મ-જરાના બંધનોથી છૂટીને પરમપદને પ્રાપ્ત કરે છે.
અર્જુન કહે છે કે એવી વ્યક્તિ કેવી રીતે ઓળખી શકાય? ભગવાન તેના જવાબમાં ગુણાતીત વ્યક્તિનું વર્ણન કરે છે જે ઘણે અંશે સ્થિતપ્રજ્ઞ પુરૂષ, આદર્શ ભક્ત તથા આદર્શ જ્ઞાનીના વર્ણનને મળતું આવે છે.
Explore below verses from Chapter 14 of Bhagavad Gita alongwith mp3 audio in Sanskrit.
