હજુ કેમ લીધું નહીં તેં શરણ ?
મહા જેને સેવે સદા માટે મુનિવર
હજુ કેમ સેવ્યાં નહીં એ ચરણ ?
હજુ કેમ લીધું નહીં તેં શરણ ?
રડે પોક મૂકી, અસહ છે અગન,
પડ્યું તારે માથે અચાનક ગગન,
છતાં એના ધ્યાને બન્યો ના મગન,
હજુ કેમ લીધું નહીં તેં શરણ ?
હતાશાભર્યો ભૂલ્યો તારો ધરમ,
સદા માટે માગી રહ્યો છે મરણ;
જરા તો લે જાણી કૃપાનો મરમ.
હજુ કેમ લીધું નહીં તેં શરણ ?
સુહૃદ એ જ શાશ્વત હિતેચ્છુ પરમ
નથી એની પાસે પહોંચ્યે શરમ;
થશે ધન્ય એનું કર્યાથી સ્મરણ.
હજુ કેમ લીધું નહીં તેં શરણ ?
- શ્રી યોગેશ્વરજી