Sunday, February 05, 2012
   
Text Size

યુદ્ધની વેળા

વિસ્તરે ગડ અંગે ને સડે ના ઔષધે મટે
બગાડે અંગને અંતે બને ઘાતક તે સમે
ઉપાય અન્ય ના એકે રહે શેષ બચાવવા
વ્યક્તિને, હિંમતે શસ્ત્રે એને નસ્તર મૂકવું

અનિવાર્ય બની જાયે એથી ના ડરવું જરી.
વિનાશની તથા દૈવી નવસર્જનની બધી
લીલા ઈશ્વરની વિશ્વે શ્રેયસ્કરી બધે થતી
બાહ્ય દેખાવથી કો’દિ જવું ભ્રમિત ના બની.

યુધ્ધ મંગલ ના તોયે અનિવાર્ય બને કદી
વધાવી પ્રેમથી ત્યારે લઈ એ આખરે ઘડી
આણી અનિષ્ટનો અંત સ્થાપવા નવસૃષ્ટિને
હિંમતે મરદા તો છે મદદે પરમાત્મના

હજારો હાથ ધારીને એવું લેવું લડી સદા,
આશીર્વાદ તને મારા દેશ છે દેવદેવના.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Fear knocked at my door. Faith opened that door and no one was there.
- Unknown 
13.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 271 guests online

View site in