દુ:ખ ને દર્દના દાવાનળથી ડગી ને ડરી જઇશ તો કેમ ચાલશે ? દુ:ખ ને દર્દ તો આ માર્ગે આવવાનાં જ.
પીડા, પરિતાપ, પોકાર ને પ્રતીક્ષાથી હિંમત હારી જઈશ તો કેમ ચાલશે ? એ સૌની હયાતી તો આ માર્ગમાં રહેવાની જ.
અશ્રુ, આહ, આપત્તિ, અપમાન ને ઉજાગરાથી બેચેન બની જઈશ, ને માર્ગ મૂકી દઈશ, તો કેમ ચાલશે ? એમના વિના તો આ માર્ગમાં આગળ જ નહિ વધાવાનું.
નિરાશાથી નાસીપાસ ને ચિંતાથી ચંચળ, ચિંતાતુર કે ચલિતચિત્ત થઈશ તો કેમ ચાલશે ? નિશ્ચિંતતા અને આશાનું અલૌકિક શાંતિસંપન્ન શિખર આ વિના સર નહિ જ થવાનું.
- શ્રી યોગેશ્વરજી
* * *
दुःख और दर्द के दावानल से विचलित होकर डर जायेगा तो कैसे चलेगा ? दुःख और दर्द तो इस मार्ग में आयेंगे ही ।
पीडा, परिताप, पुकार और प्रतीक्षा से हिम्मत हार जायेगा तो कैसे चलेगा ? उन सबका अस्तित्व इस मार्ग में रहेगा ही ।
अश्रु, आह, आपत्ति, अवमान और अनिद्रा से बेचैन बन जायेगा, पथ को त्याग देगा तो कैसे चलेगा ? उसके बिना इस पथ पर आगे नहीं बढ़ा जायेगा ।
निराशा से हताश और चिंता से चंचल, चिंतातुर, चलित-चित्त बनेगा तो कैसे चलेगा ? निश्चिंतता और आशा का अलौकिक शांतिसंपन्न शिखर इसके बिना सर नहीं होगा ।