અનંત એવા અવકાશમાં ઉડીને કહે છે કે કોઈક માનવે વિમાનમાં બેસીને પૃથ્વીની પરિકમ્મા પૂરી કરી. ઉડ્ડયનના એવા અનેક આશ્ચર્યકારક પ્રયોગો થઈ રહ્યા છે, જેને પરિણામે માનવ ચંદ્રમાં જશે, મંગળમાં મુસાફરી કરશે, ને બીજા ગ્રહનક્ષત્રોનો અતિથિ બનશે.
માનવજાતની વિકાસકૂચના એ સમાચાર સાભળીને, અથવા કહો કે આધુનિક વિજ્ઞાનના એ અલૌકિક અથવા આશ્ચર્યજનક અન્વેષણની માહિતી મેળવીને, કોઈ કોઈ પ્રવાસી પૂછે છે કે, તમે પણ આમ ઉડ્ડયન નથી કરવાના કે વિશ્વના વિહારે નથી ચઢવાના ?
એમને હું ઉત્તર આપું છું કે ભાઈઓ, મારું ઉડ્ડયન તો ચાલુ જ છે; ને અનંતકાળથી મારું અન્વેષણ પણ આરંભાયેલું જ છે. કલ્પનાના કદી ના કરમાનારા કુસુમની માળા કરીને તથા કાળાતીત કવિ બનીને, ચદ્ર, મંગળ ને અવનીની આજુબાજુ હું ઊડતો નથી, પરંતુ મારા ઉરના ઊંડાણમાં, આત્માના અંતસ્તલમાં, ડૂબકી મારું છું, ને જે મેળવું છું તે સંસારની સામે રજૂ કરું છું.
બહારના ઉડ્ડયનની જેમ જ અંદરનું ઉડ્ડયન પણ માનવ ને માનવજાતિની સમસ્ત સૃષ્ટિ સારુ આવશ્યક અને આશીર્વાદરૂપ છે - બલ્કે એથીયે વધારે શ્રેયસ્કર છે, એ વાત કોણ નથી કહેતું, ને એનો સ્વીકારેય કોણ નથી કરતું ?
- શ્રી યોગેશ્વરજી
* * *
विमान में बैठकर, अनंत अवकाश में उड़कर कहते हैं कि किसी मानव ने पृथ्वी की परिक्रमा पूरी की । उड्डयन के ऐसे अनेक आश्चर्यकारक प्रयोग हो रहे है, जिसके परिणामस्वरूप मानव चंद्र में जायेगा, मंगल में मुसाफिरी करेगा और अन्य अनेक ग्रह-नक्षत्रों का अतिथि बनेगा ।
मानवजाति की विकासयात्रा का यह समाचार सुनकर, अथवा कहो कि आधुनिक विज्ञान के उस अलौकिक अथवा आश्चर्यजनक अन्वेषण की खबर पाकर, कोई-कोई प्रवासी मुझे पूछते है – आप भी ऐसे उड्डयन नहीं करेंगे अथवा विश्व के विहार को नहीं चलेंगे ?
उनको मैं उत्तर देता हूँ – भाईयो ! मेरा उड्डयन तो चालू ही है । अनंतकाल से मेरा अन्वेषण शुरू हो चुका है । कल्पना के कभी न मुरझानेवाले कोमल कुसुमों की माला बनाकर और कालातीत कवि बनकर, मैं चंद्र, मंगल और अवनि के आसपास नहीं उड़ता, किन्तु अपने उर के गहराईयों में, आत्मा के अंतःस्तल में गोता लगाता हूँ, और जो पाता हूँ, उसे संसार के समक्ष अर्पित करता हूँ ।
बाह्य उड्डयन की तरह आंतरिक उड्डयन भी मानव और समस्त सृष्टि के लिये आवश्यक और आशीर्वादरूप है, बल्कि उससे भी अधिक श्रेयस्कर है, इस बात को कौन नहीं मानता और इसका स्वीकार भी कौन नहीं करता ?