if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
સ્વપ્નામાં શિશુને સ્નેહીનો સમાગમ થયો.

સ્નેહીએ કહ્યું : સારા શહેરમાં આજથી શ્રાદ્ધપક્ષ શરૂ થાય છે. લોકો પોતપોતાના પરિજન, પ્રેમી તથા પુજ્ય સ્ત્રીપુરૂષો માટે મિષ્ટ ભોજન તૈયાર કરશે, અને એમને અનુરાગની અંજલિ આપશે. કોઈ સરિતા કે સમુદ્ર તટ પર વિધિપૂર્વક એમની સદગતિ સારું ક્રિયા કરશે, કોઈ એમના આત્માની શાંતિ ને પ્રસન્નતા માટે પ્રાર્થના કરશે. તું મારે માટે શું કરીશ ?

શિશુએ પ્રેમપૂર્વક પ્રત્યુત્તર આપ્યો : મારું તો સમસ્ત જીવન તમારા શ્રાદ્ધરૂપ થઈ ગયું છે. અનાથ, અપંગ, અશિક્ષિત અને અનાદર પામેલાંના પ્રાણને પ્રસન્ન કરવાની કે શાંતિ ધરવાની એમાં અનવરત આરાધના છે. સદવિચાર, સદગુણ ને સત્કર્મની સંસ્થાપનાની સતત, સુખકારક સાધના છે; જેમને જરૂર છે તેમને કામ આવવાની તમન્ના છે; પરમાત્માના પરમ પ્રેમની પ્રતિષ્ઠા તથા પરમાત્માની પૂજા છે, મન અને ઈન્દ્રિયોની આહુતિ આપીને પ્રકાશની પ્યાસ છે. એ જીવન શું તમને શાંતિ નહિ આપી શકે, પ્રસન્ન નહિ કરી શકે, તથા તમારા શ્રેષ્ઠ શ્રાદ્ધરૂપ નહિ બની શકે ?

સ્નેહીએ કહ્યું : ધન્ય છે તારી સમજશક્તિને, ને ધન્ય છે તારા સર્વોત્તમ શ્રાદ્ધને ! હું તેથી સંતૃપ્ત ને શાંત જ છું. પરંતુ પ્રસન્ન થઈને તને મારો પરિચય આપવા જ, તારા સ્વપ્નમાં આજના પુનિત પર્વપ્રભાતે મેં પ્રવેશ કર્યો છે. હું તો સાચોસાચ સંતૃપ્ત ને શાંત જ છું.

- શ્રી યોગેશ્વરજી

*  *  *

स्वप्न में शिशु को स्नेही का समागम हुआ ।

स्नेही ने कहा – समस्त शहर में आज से श्राद्धपक्ष का प्रारंभ हुआ है । लोग अपने-अपने परिजन, प्रेमी तथा पूज्य स्त्री-पुरुषों के लिये मिष्ट भोजन तैयार करेंगे और उन्हें अनुराग की अंजलि अर्पित करेंगे । किसी सरिता अथवा समुद्र तट पर उनकी सदगति के लिये विधिपूर्वक क्रिया करेंगे । कोई उनकी आत्मा की शांति और प्रसन्नता के लिये प्रार्थना करेंगे । तू मेरे लिये क्या करेगा ?

शिशु ने प्रेमपूर्वक प्रत्युत्तर देते हुए कहा – मेरा तो समस्त जीवन आपके श्राद्धरूप हो गया है । अनाथ, अपंग, अशिक्षित और अनादरयुक्त आत्माओं को आह्लादित करने की अथवा शांति प्रदान करने की उसमें अनवरत आराधना है; सदविचार, सदगुण, सत्कर्म की संस्थापना की सतत सुखकारक साधना है; जिनको आवश्यकता हो, उनके काम आने की कामना है; परमात्मा के परम प्रेम की प्रतिष्ठा तथा परमात्मा की पूजा है; मन और इन्द्रियों की आहुति अर्पण करने की अभीप्सा और प्रकाश की पिपासा है । वह जीवन क्या आपको शांति प्रदान नहीं कर सकेगा, प्रसन्न नहीं कर पायेगा, आपके श्रेष्ठ श्राद्धरूप नहीं बन सकेगा ?

स्नेही ने कहा – धन्य है तेरी समझशक्ति को और धन्य है तेरे सर्वोत्तम श्राद्ध को ! मैं उससे संतृप्त और शांत ही हूँ; परंतु प्रसन्नता से युक्त होकर, तुझे मेरा परिचय कराने के लिये ही, आज के पुनीत पर्व-प्रभात में, मैंने तेरे स्वप्न में प्रवेश किया है । मैं तो सचमुच संतृप्त और शांत हूँ ।

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.