વર્ષાના વાદળ આકાશમાં ગર્જના કરી રહ્યાં હતાં, ત્યારે તે દૂર દેશમાં આવેલા પોતાના પ્રેમીને મળવા નીકળી પડી.
રસ્તામાં તેને એક ફિલસૂફનો મેળાપ થયો. તેણે તેને સલાહ આપી: ‘કુમારી, સંસાર મિથ્યા છે, નીરસ છે. માટે બધામાંથી મન પાછું વાળી લઈને તેને તારી અંદર એકાગ્ર કર. તો તને શાંતિ મળશે.’
આગળ જતાં તેને એક પંડિતનો પરિચય થઈ ગયો. તેણે કહ્યું: ‘અરે દિવાની, પ્રિયતમ તો તારી પાસે જ છે. તારી અંદર, તારા રોમેરોમમાં રમી રહ્યો છે.’
એક બીજા સ્થળમાં એક કવિની મુલાકાત થઈ. તેણે કહેવા માંડ્યું: ‘કલ્પનાની પાંખ પર બેસાડી હું તને રોજ રોજ પ્રિયતમનો મેળાપ કરાવ્યા કરીશ, માટે મારી પાસેથી કવિતાની કળા શીખી લે.’
કુટુંબી ને મિત્રોએ કહ્યું: ‘અરે એમ તે કોઈની પાછળ પડાતું હશે ? પરદેશીની વળી પ્રીત શી? આજે છે ને કાલે નથી. તેનો વિશ્વાસ શો?’
પણ સૌનું સાંભળીને તે તો આગળ જ વધતી રહી. પોતાના પ્રેમીના મિત્રની પાસે પહોંચીને તેણે બધી કથા કહી બતાવી, ત્યારે તેણે ઉત્તર આપ્યો: ‘પ્રેમીનું દર્શન તું પ્રેમથી કર. તારો પ્રેમ જોઈને મને આનંદ થાય છે. પ્રેમ બધી જ દશામાં પ્રશસ્ય છે.’
ને તે કુમારીએ આનંદમાં આવીને કહેવા માંડ્યું: ‘પ્રભુએ જેની અંદર રહીને મને પ્રેમ કર્યો છે, મારા અંતરને જાગૃત કર્યું છે, પ્રભુના તે સ્વરૂપનું દર્શન કરી લઉં ને તેના ચરણમાં મસ્તક નમાવી લઉં એટલે હું કૃતાર્થ થાઉં. જીવનમાં મારે બીજી કોઈ ઈચ્છા નથી.’
ને તે પ્રિયતમની પાસે પહોંચી ગઈ.
- શ્રી યોગેશ્વરજી
રસ્તામાં તેને એક ફિલસૂફનો મેળાપ થયો. તેણે તેને સલાહ આપી: ‘કુમારી, સંસાર મિથ્યા છે, નીરસ છે. માટે બધામાંથી મન પાછું વાળી લઈને તેને તારી અંદર એકાગ્ર કર. તો તને શાંતિ મળશે.’
આગળ જતાં તેને એક પંડિતનો પરિચય થઈ ગયો. તેણે કહ્યું: ‘અરે દિવાની, પ્રિયતમ તો તારી પાસે જ છે. તારી અંદર, તારા રોમેરોમમાં રમી રહ્યો છે.’
એક બીજા સ્થળમાં એક કવિની મુલાકાત થઈ. તેણે કહેવા માંડ્યું: ‘કલ્પનાની પાંખ પર બેસાડી હું તને રોજ રોજ પ્રિયતમનો મેળાપ કરાવ્યા કરીશ, માટે મારી પાસેથી કવિતાની કળા શીખી લે.’
કુટુંબી ને મિત્રોએ કહ્યું: ‘અરે એમ તે કોઈની પાછળ પડાતું હશે ? પરદેશીની વળી પ્રીત શી? આજે છે ને કાલે નથી. તેનો વિશ્વાસ શો?’
પણ સૌનું સાંભળીને તે તો આગળ જ વધતી રહી. પોતાના પ્રેમીના મિત્રની પાસે પહોંચીને તેણે બધી કથા કહી બતાવી, ત્યારે તેણે ઉત્તર આપ્યો: ‘પ્રેમીનું દર્શન તું પ્રેમથી કર. તારો પ્રેમ જોઈને મને આનંદ થાય છે. પ્રેમ બધી જ દશામાં પ્રશસ્ય છે.’
ને તે કુમારીએ આનંદમાં આવીને કહેવા માંડ્યું: ‘પ્રભુએ જેની અંદર રહીને મને પ્રેમ કર્યો છે, મારા અંતરને જાગૃત કર્યું છે, પ્રભુના તે સ્વરૂપનું દર્શન કરી લઉં ને તેના ચરણમાં મસ્તક નમાવી લઉં એટલે હું કૃતાર્થ થાઉં. જીવનમાં મારે બીજી કોઈ ઈચ્છા નથી.’
ને તે પ્રિયતમની પાસે પહોંચી ગઈ.
- શ્રી યોગેશ્વરજી