રાઘવાચારિયરના એ અદભુત અનુભવ પરથી સહેજે પ્રશ્ન થાય છે કે રમણ મહર્ષિ દક્ષિણામૂર્તિના અવતાર અથવા અભિનવ સમયાનુરૂપ સંસ્કરણ હતા ને આ પૃથ્વી પર લોકહિતાર્થે પ્રકટતા પરમપ્રતાપી આધ્યાત્મિક અનુભૂતિથી સંપન્ન સમર્થ પુરૂષોની પરંપરામાં પ્રકટેલા ? એમણે રાઘવાચારિયરને આપેલા ઉત્તર પરથી તો એવું જ લાગે કે એ દક્ષિણામૂર્તિના નવીન સંસ્કરણરૂપ હતા. રાઘવાચારિયરે એમના મૂળ રૂપને જોવાની ઈચ્છા વ્યક્ત કરેલી. એના ઉત્તરરૂપે એમણે દક્ષિણામૂર્તિ સાથેનું પોતાનું પરમ પ્રકાશમય સ્વરૂપ બતાવીને બંનેની વચ્ચેની એક્તાનું દર્શન કરાવ્યું, અને આખરે નામરૂપથી રહિત સ્વરૂપની પણ ઝાંખી કરાવીને સિદ્ધ કરી બતાવ્યું કે પોતે વાસ્તવિક રીતે જોતાં નામરૂપથી રહિત પણ છે. એટલે એ અનુભૂતિ પરથી એવા અનુમાન પર પહોંચવામાં હરકત નથી. એમના ભક્તોના એક વર્ગના માનવા પ્રમાણે અરૂણાચલ પર્વત પર પ્રાચીન કાળમાં વરસો પહેલાં અરૂણગિરિ નામે સમર્થ સિદ્ધપુરૂષનો નિવાસ હતો. એમની પ્રખ્યાતિ આસપાસના પ્રદેશમાં ઘણી વધારે હતી. રમણ મહર્ષિ એ મહાનપુરૂષની અભિનવ આવૃત્તિરૂપ હતા એવી એ વર્ગની શ્રદ્ધા છે. એ વર્ગ આજે પણ એમને એવી રીતે જ જુએ છે. એમને દક્ષિણામૂર્તિની આવૃત્તિ માનનારો બીજો વર્ગ પણ એમના જમાનાથી જ અસ્તિત્વ ધરાવે છે.
એ આખો વિષય જ એવો છે કે જેની ઉપર મહર્ષિ વિના બીજું કોઈ જ પૂર્ણ અથવા પ્રામાણિક પ્રકાશ નથી પાડી શકે તેમ : બીજાએ તો પોતપોતાની શક્તિ, બુદ્ધિ અને અનુભૂતિને અનુસરીને કલ્પના કરવાની જ શેષ રહે છે. એની સાથે આપણને અત્યારે એટલો સંબંધ પણ નથી કે એની વિસ્તૃત વિચારણા કર્યા વિના ચાલે જ નહિ. એટલે એનો આટલો નિર્દેશ પૂરતો છે. છતાં પણ વિષયના અનુસંધાનમાં એટલું અવશ્ય કહી શકાય કે મહર્ષિના જીવનના આરંભથી જ અરૂણાચલ માટેનું જે અનેરું આકર્ષણ જાગેલું, અરૂણાચલનું નામ સાંભળતાંવેંત એમને જે લાગણી થઈ આવેલી, અને જીવનના અંતકાળ સુધી એમનો અરૂણાચલ સાથેનો જે સંબંધ હતો, તેના પરથી નિર્વિવાદ રીતે કહી શકાય અથવા નિર્ણય પર પહોંચી શકાય કે એમનો અરૂણાચલ સાથેનો સંબંધ જન્માંતરનો ને પુરાતન હતો : અરૂણાચલ એમનું પરમપ્રિય નિવાસ સ્થાન હતું અને ત્યાંથી એ એમની સ્વતંત્ર ઈચ્છાનુસાર બીજાને ઉપયોગી થવા, સાધનાપથ બતાવવા ને સંસ્કૃતિના સ્વરૂપને ઉજ્જવળ કરવા માટે આવી પહોંચેલા.
* * * * * * * * * * * *
મહર્ષિના સમાગમમાં આવીને સહાયતા પ્રાપ્ત કરી ચૂકેલા ને એમની પ્રત્યે અપાર શ્રદ્ધાભક્તિ રાખનાર ભક્તોમાં એફ.એચ. હમ્ફ્રીસની પણ ગણના થાય છે.
એ પોલિસ વિભાગમાં આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે કામ કરવા માટે ભારતમાં સૌથી પહેલાં ઈ.સ. ૧૯૧૧ના જાન્યુઆરીમાં આવેલા. મુંબઈ પહોંચ્યા ત્યારે વ્યાધિગ્રસ્ત હોવાથી એ આગળ પ્રવાસ કરી શકે તેવી સ્થિતિમાં ના હોવાથી એમને આશરે બે મહિના સુધી હૉસ્પિટલમાં રહેવું પડ્યું. ત્યાંથી સ્વસ્થ થયા પછી એ તાલીમ માટે આગળ વધ્યા ને ૧૮મી માર્ચે વેલોર પહોંચ્યા.
એમણે સૌથી પહેલાં કાવ્યકંઠ ગણપતિ શાસ્ત્રી સાથે ઈ.સ. ૧૯૧૧ના નવેમ્બરમાં અરૂણાચલ પર્વત પર મહર્ષિની મુલાકાત લીધી ત્યારે એમને અવર્ણનીય આનંદનો અનુભવ થયો. એ મુલાકાત પછી લખેલા એક પત્રમાં એ લખે છે :
‘ગઈ કાલે એક દિવસની રજા લઈને મુનશી સાથે હું ગણપતિ શાસ્ત્રીને મળ્યો. બંને મહર્ષિના શિષ્યો છે. બપોરે બે વાગે અમે પર્વત પર મહર્ષિનાં દર્શને ગયા. ગુફામાં પ્રવેશીને કાંઈ પણ બોલ્યા વિના એમની સામે બેસી ગયા. અમે લાંબા વખત લગી એવી રીતે જ બેસી રહ્યા તે દરમિયાન હું મારા શરીરનું ભાન ભૂલી ગયો હોઉં એવું લાગવા માંડ્યું. મહર્ષિની આંખ ઊંડા ધ્યાનમાં ડૂબેલી હતી. એ ધ્યાનમગ્ન આંખ તરફ હું અડધા કલાક સુધી એકીટસે જોઈ રહ્યો. શરીર દેવતાનું મંદિર છે એવું લાગવા માંડ્યું. સાથે સાથે એવો વિલક્ષણ અનુભવ પણ થવા લાગ્યો કે એમનુ શરીર પાર્થિવ નથી. એ ઈશ્વરનું હથિયાર લાગ્યું. એ જાણે કે અચલ, સ્થિર શબ હોય અને એની અંદરથી પરમાત્માનો પ્રખર પ્રકાશ પ્રવાહિત થઈ રહ્યો હોય એવો ભાસ થયો. મારી એ વખતની લાગણી અવર્ણનીય હતી.’
‘ઉત્તમતા, નમ્રતા, આત્મસંયમ અને પોતાની સ્વાનુભવજન્ય માન્યતાઓની અડગ મૂક નિષ્ઠાની દૃષ્ટિએ મહર્ષિ એટલા બધા મહાન છે કે જેનું શબ્દોમાં વર્ણન ના કરી શકાય.’
એ પત્ર પરથી પોતાની પ્રથમ મુલાકાતે જ એ મહર્ષિના વ્યક્તિત્વથી કેટલા બધા પ્રભાવિત થયા અને એમને અસાધારણ આદરભાવથી જોવા લાગ્યા એનો સ્પષ્ટ ખ્યાલ આવે છે. મહર્ષિના શાંત છતાં આત્માના ઓજસથી અલંકૃત વ્યક્તિત્વથી એ મંત્રમુગ્ધ થયા વિના ના રહી શક્યા એવી છાપ પડ્યા વિના નથી રહી શક્તી.
* * * * * * * * * * * *
એ મુલાકાત દરમિયાન એમણે મહર્ષિ સાથે કરેલો રસપ્રદ વાર્તાલાપ ખાસ જાણવા જેવો છે. એથી બીજાને પણ માર્ગદર્શન મળી શકશે.
પ્રશ્ન : મહર્ષિ, હું દુનિયાને મદદ કરી શકું ખરો ?
ઉત્તર : તમારી જાતને જ પહેલાં મદદરૂપ થાવ. એ રીતે દુનિયાને મદદરૂપ થઈ શકશો.
પ્રશ્ન : હું દુનિયાને મદદ કરવા માગું છું તો મદદરૂપ નહિ થઈ શકું ?
ઉત્તર : કેમ નહિ ? તમને મદદ પહોંચાડવાથી દુનિયાને મદદ પહોંચાડી શકો છો. તમે સંસારમાં છો––સંસારથી અલગ નથી. તમે દુનિયાથી જુદા નથી ને દુનિયા પણ તમારાથી જુદી નથી.
પ્રશ્ન : મહર્ષિ, શ્રીકૃષ્ણે ને ઈશુએ પ્રાચીન કાળમાં કરેલા તેવા ચમત્કાર હું પણ કરી શકું ખરો ?
ઉત્તર : એ બધાં કર્મો કરતી વખતે એમને એવું લાગતું’તું કે એ કશુંક કરી અને નૈસર્ગિક નિયમોની વિરુદ્ધ વર્તી રહ્યા છે ?
હમ્ફ્રીસે થોડીક વાર વિચાર કરીને ઉત્તર આપ્યો : ના મહર્ષિ !
* * * * * * * * * * * *
હમ્ફ્રીસની મહર્ષિ સાથેની એ પહેલી મુલાકાત હતી તો પણ એણે ઘણું ચમત્કારિક કામ કર્યું. મહર્ષિના સાદાસીધા છતાં ગૂઢ, રહસ્યમય, આત્મિક ઊંડાણવાળા વ્યક્તિત્વનો પ્રભાવ એમની ઉપર પડ્યા વિના ના રહ્યો. એ અરૂણાચલ પરથી નીચે ઊતરીને વેલોર જઈને એમના કામમાં જોડાઈ ગયા તો પણ એ મહાપુરૂષના અસાધારણ આકર્ષણનો અનુભવ કરતા જ રહ્યા. મહર્ષિની મધુમય મૃદુ મુખાકૃતિ એમની આંખ આગળ તરતી જ રહી . વિરૂપાક્ષી ગુફાનું વાતાવરણ એમના અંતરને સંવેદનશીલ કરવા માંડ્યું. મહર્ષિના પ્રજ્ઞાપૂત સરસ ગાર્ભિત શબ્દો એમના શ્રવણપટ પર અવારનવાર અથડાવા લાગ્યાં. એમને થયું કે એ સ્વાનુભૂતિ સંપન્ન સત્પુરૂષ સાથે પોતાનો પહેલાંનો સંબંધ છે. એ સંબંધ ગુરૂશિષ્યના સંબંધ વિના બીજો કયો હોઈ શકે ? એ સંબંધને સુદૃઢ કરીને એમના ચરણમાં આત્મસમર્પણ દ્વારા એમના અધિકાધિક અનુગ્રહને પ્રાપ્ત કરવાનો પ્રામાણિક પ્રયત્ન કરવો જોઈએ.
એવા વિચારોથી પ્રેરાઈને એમણે થોડા દિવસો પછી અરૂણાચલ પર્વત પરના એ એકાંતસેવી સંતપુરૂષ પાસે જવાનો નિર્ણય કર્યો. એમનું મન એમની પાસે પહોંચવા માટે તલપાપડ થઈ રહ્યું. એમની લગન એટલી ઉત્કટતા પર પહોંચી ગઈ કે વેલોરથી તિરુવણ્ણામલૈ સુધીના સાઠ માઈલ એમણે મોટરસાઈકલ પર અને તે પણ સખત તાપમાં કાપી નાખ્યા. પરંતુ એમાં એમને કોઈ પ્રકારનો પરિશ્રમ ના પડ્યો. ઊલટું, આનંદ આવ્યો. જે વસ્તુને માટે પ્રેમ હોય છે તેને ખાતર કાંઈક કરી છૂટવામાં હંમેશા આનંદ જ આવતો હોય છે.
પી.ડબલ્યુ. ડી. ના સુપ્રિન્ટેન્ડેન્ટ રાઘવાચારિયરની સાથે એ મહર્ષિની પાસે વિરૂપાક્ષી ગુફામાં પહોંચી ગયા.
એ મુલાકાતનું વર્ણન હમ્ફ્રીસના પોતાના જ શબ્દોમાં જોઈ લઈએ. એ જણાવે છે કે––
‘મોટરસાઈકલ પર પ્રવાસ કરીને હું અરૂણાચલ પરની વિરૂપાક્ષી ગુફામાં જઈ પહોંચ્યો. મહર્ષિએ મને જોઈને સ્મિત કર્યું મારા આગમનને લીધે જરા પણ આશ્ચર્ય ના બતાવ્યું. અમે અંદર જઈને નીચે બેઠા તે પહેલાં જ એમણે મને અંગત પ્રશ્ન પૂછ્યો. એ પ્રશ્નની એમના ને મારા સિવાય બીજા કોઈને ખબર ન હતી. જે ક્ષણે જોયો એ જ ક્ષણે એમણે મને દેખીતી રીતે જ ઓળખી કાઢ્યો. એમની પાસે આવનારા પ્રત્યેક મનુષ્યના મનોભાવોને એ ઉઘાડા પુસ્તકની પેઠે સહેલાઈથી વાંચી શકે છે. મનુષ્યના અંતરાત્માની અંદર જે કાંઈ હોય છે એને જાણવા માટે એમનો એક જ દૃષ્ટિપાત પૂરતો હોય છે.
‘મહર્ષિ બોલ્યા : ‘તમે હજુ ભોજન કર્યું નથી લાગતું ને ભૂખ્યા છો.’
‘મેં એમની વાતને કબૂલ કરી. એમણે એક શિષ્યને બોલાવીને મારે માટે વિના વિલંબ ભોજન લાવવાનો આદેશ આપ્યો. થોડીવારમાં તો ભોજન આવી પહોંચ્યું. ભાત, ઘી, ફળ વગેરે. મેં એને ભારતીય પદ્ધતિ પ્રમાણે હાથની મદદથી ખાઈને ન્યાય આપ્યો. મેં એવી રીતે ખાવાની પણ ટેવ પાડેલી. તો પણ એ ટેવ મારે માટે હજુ સહજ નહોતી બની. મહર્ષિ મારી મુશ્કેલીને સમજી ગયા અને એમણે સ્મિત કરતાં ને વચ્ચે વાતો કરતાં મને નાળિયેરીનો ચમચો આપ્યો જેથી હું સહેલાઈથી જમી શકું. એમના સ્મિત કરતાં વિશેષ સુંદર વસ્તુની કલ્પના કરવી કઠિન છે. મેં જમ્યા પછી સફેદ, ગાયના દૂધ જેવું સ્વાદિષ્ટ, નાળિયેરનું પાણી પણ પીધું. એમાં મહર્ષિએ ખૂબ ખૂબ પ્રેમપૂર્વક પોતાને હાથે જ થોડીક ખાંડ મેળવેલી.
‘એ બધું ભોજન પૂરૂં કર્યા પછી મારું પેટ પૂરેપૂરું નહોતું ભરાયું એ હકીકત એમનાથી અજાણ ના હોવાથી એમણે થોડુંક વધારે ખાવાનું મંગાવ્યું. એમને અંતર્યામીની પેઠે બધી જ ખબર પડી જાય છે અને એટલા માટે તો બીજાએ મારી અનિચ્છા છતાં મને ફળ ખાવાનો આગ્રહ કર્યો ત્યારે મને પૂરેપૂરી તૃપ્તિ પામેલો જાણીને એમણે એમને તરત જ તેમ કરતા અટકાવી દીધા.’
‘પાણી પીવાની મારી પદ્ધતિને માટે મેં માફી માગી ત્યારે એમણે કહ્યું કે કશી હરકત નહિ. હિંદુઓ એ બાબત ખાસ ધ્યાન રાખતા હોય છે. એ પાણી પીતી વખતે વાસણને હોઠે લગાડવાને બદલે પ્યાલાને ઉપર અથવા મુખથી અસ્પૃશ્ય રાખીને પાણી પીતા હોય છે. એ પદ્ધતિને લીધે વાસણ એઠું નથી અને એક હોય તો પણ અનેકને કામ લાગે છે.’
‘હું જ્યારે જમતો’તો ત્યારે એ મારા ભૂતકાળની વિગતોનું વર્ણન કરી રહેલા. એ વર્ણન સંપૂર્ણ સાચું હતું. આશ્ચર્ય તો એ કે એમણે મને આની પહેલાં ફક્ત એકવાર જ જોયેલો અને એ પછી એ મારા જેવા કેટલાય મુલાકાતીને મળી ચૂકેલા. આપણે કોઈ મહાન જ્ઞાનવિજ્ઞાનકોશને વાંચતા હોઈએ તેમ એ અંતઃપ્રેરણાના આધાર પર જાણે કે બધું જ જાણી શકતા. એમના સદુપદેશનું શ્રવણ કરતાં એમની આગળ હું ત્રણેક કલાક લગી બેસી રહ્યો.’
‘પાછળથી મને તરસ લાગી. મેં એની અભિવ્યક્તિ શબ્દોમાં ના કરી બતાવી તો પણ એમને એમની વિશેષ શક્તિથી એની ખબર સત્વર પડી ગઈ ને એમણે એક ભક્તને થોડુંક લીંબુનું પાણી લાવવાનો આદેશ આપ્યો.’
‘આખરે એમને મસ્તક નમાવીને મેં નમસ્કાર કર્યા ને મારા બૂટ પહેરવાને માટે હું ગુફાની બહાર આવ્યો. એ પોતે પણ મારી પાછળ બહાર આવ્યા ને મને ફરીવાર આવવાની સૂચના આપતાં ઊભા રહ્યા.’
‘એમની સંનિધિમાં માણસની અંદર ખરેખર આશ્ચર્યકારક પરિવર્તન થયા વિના નથી રહેતું.’
* * * * * * * * * * * *
એ મહાપુરૂષની વિદાય લેતાં પહેલાં એમને એક પ્રશ્ન પૂછવાનું મન થયું. હમ્ફ્રીસ નોકરી તો કરી જ રહેલા પરંતુ આત્મોન્નતિની સાધનામાં પણ ઊંડો રસ ધરાવતા. કેટલીકવાર એમને વિચાર આવતો કે આત્મોન્નતિની સાધનામાં બાહ્ય પ્રવૃતિ અથવા નોકરી નડતરરૂપ નથી ? જેમણે થોડા વખતમાં ને સારી રીતે આત્મવિકાસની સાધનામાં આગળ વધવું હોય તેમણે નોકરીને તિલાંજલિ આપીને અંતરંગ સાધના પર જ પોતાના સમગ્ર ધ્યાનને કેન્દ્રિત ના કરવું જોઈએ ? એવી રીતે ધ્યાનને આત્મકેન્દ્રિત કરવાનું શું અનિવાર્ય નથી લાગતું ?
મહર્ષિએ શાંતિપૂર્વક સત્વર ઉત્તર આપ્યો :
‘તમે નોકરી તથા ધ્યાન બંનેને સાથેસાથે કરી શકો છો.’
એ સાંભળીને હમ્ફ્રીસનું સમાધાન થયું.
* * * * * * * * * * * *
થોડા વરસ સુધી નોકરી કર્યા પછી હમ્ફ્રીસ એમાંથી છૂટા થયા ને રોમન કેથોલિક સાધુ બન્યા.
રાઘવાચારિયરના એ અદભુત અનુભવ પરથી સહેજે પ્રશ્ન થાય છે કે રમણ મહર્ષિ દક્ષિણામૂર્તિના અવતાર અથવા અભિનવ સમયાનુરૂપ સંસ્કરણ હતા ને આ પૃથ્વી પર લોકહિતાર્થે પ્રકટતા પરમપ્રતાપી આધ્યાત્મિક અનુભૂતિથી સંપન્ન સમર્થ પુરૂષોની પરંપરામાં પ્રકટેલા ? એમણે રાઘવાચારિયરને આપેલા ઉત્તર પરથી તો એવું જ લાગે કે એ દક્ષિણામૂર્તિના નવીન સંસ્કરણરૂપ હતા. રાઘવાચારિયરે એમના મૂળ રૂપને જોવાની ઈચ્છા વ્યક્ત કરેલી. એના ઉત્તરરૂપે એમણે દક્ષિણામૂર્તિ સાથેનું પોતાનું પરમ પ્રકાશમય સ્વરૂપ બતાવીને બંનેની વચ્ચેની એક્તાનું દર્શન કરાવ્યું, અને આખરે નામરૂપથી રહિત સ્વરૂપની પણ ઝાંખી કરાવીને સિદ્ધ કરી બતાવ્યું કે પોતે વાસ્તવિક રીતે જોતાં નામરૂપથી રહિત પણ છે. એટલે એ અનુભૂતિ પરથી એવા અનુમાન પર પહોંચવામાં હરકત નથી. એમના ભક્તોના એક વર્ગના માનવા પ્રમાણે અરૂણાચલ પર્વત પર પ્રાચીન કાળમાં વરસો પહેલાં અરૂણગિરિ નામે સમર્થ સિદ્ધપુરૂષનો નિવાસ હતો. એમની પ્રખ્યાતિ આસપાસના પ્રદેશમાં ઘણી વધારે હતી. રમણ મહર્ષિ એ મહાનપુરૂષની અભિનવ આવૃત્તિરૂપ હતા એવી એ વર્ગની શ્રદ્ધા છે. એ વર્ગ આજે પણ એમને એવી રીતે જ જુએ છે. એમને દક્ષિણામૂર્તિની આવૃત્તિ માનનારો બીજો વર્ગ પણ એમના જમાનાથી જ અસ્તિત્વ ધરાવે છે.
એ આખો વિષય જ એવો છે કે જેની ઉપર મહર્ષિ વિના બીજું કોઈ જ પૂર્ણ અથવા પ્રામાણિક પ્રકાશ નથી પાડી શકે તેમ : બીજાએ તો પોતપોતાની શક્તિ, બુદ્ધિ અને અનુભૂતિને અનુસરીને કલ્પના કરવાની જ શેષ રહે છે. એની સાથે આપણને અત્યારે એટલો સંબંધ પણ નથી કે એની વિસ્તૃત વિચારણા કર્યા વિના ચાલે જ નહિ. એટલે એનો આટલો નિર્દેશ પૂરતો છે. છતાં પણ વિષયના અનુસંધાનમાં એટલું અવશ્ય કહી શકાય કે મહર્ષિના જીવનના આરંભથી જ અરૂણાચલ માટેનું જે અનેરું આકર્ષણ જાગેલું, અરૂણાચલનું નામ સાંભળતાંવેંત એમને જે લાગણી થઈ આવેલી, અને જીવનના અંતકાળ સુધી એમનો અરૂણાચલ સાથેનો જે સંબંધ હતો, તેના પરથી નિર્વિવાદ રીતે કહી શકાય અથવા નિર્ણય પર પહોંચી શકાય કે એમનો અરૂણાચલ સાથેનો સંબંધ જન્માંતરનો ને પુરાતન હતો : અરૂણાચલ એમનું પરમપ્રિય નિવાસ સ્થાન હતું અને ત્યાંથી એ એમની સ્વતંત્ર ઈચ્છાનુસાર બીજાને ઉપયોગી થવા, સાધનાપથ બતાવવા ને સંસ્કૃતિના સ્વરૂપને ઉજ્જવળ કરવા માટે આવી પહોંચેલા.
* * * * * * * * * * * *
મહર્ષિના સમાગમમાં આવીને સહાયતા પ્રાપ્ત કરી ચૂકેલા ને એમની પ્રત્યે અપાર શ્રદ્ધાભક્તિ રાખનાર ભક્તોમાં એફ.એચ. હમ્ફ્રીસની પણ ગણના થાય છે.
એ પોલિસ વિભાગમાં આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે કામ કરવા માટે ભારતમાં સૌથી પહેલાં ઈ.સ. ૧૯૧૧ના જાન્યુઆરીમાં આવેલા. મુંબઈ પહોંચ્યા ત્યારે વ્યાધિગ્રસ્ત હોવાથી એ આગળ પ્રવાસ કરી શકે તેવી સ્થિતિમાં ના હોવાથી એમને આશરે બે મહિના સુધી હૉસ્પિટલમાં રહેવું પડ્યું. ત્યાંથી સ્વસ્થ થયા પછી એ તાલીમ માટે આગળ વધ્યા ને ૧૮મી માર્ચે વેલોર પહોંચ્યા.
એમણે સૌથી પહેલાં કાવ્યકંઠ ગણપતિ શાસ્ત્રી સાથે ઈ.સ. ૧૯૧૧ના નવેમ્બરમાં અરૂણાચલ પર્વત પર મહર્ષિની મુલાકાત લીધી ત્યારે એમને અવર્ણનીય આનંદનો અનુભવ થયો. એ મુલાકાત પછી લખેલા એક પત્રમાં એ લખે છે :
‘ગઈ કાલે એક દિવસની રજા લઈને મુનશી સાથે હું ગણપતિ શાસ્ત્રીને મળ્યો. બંને મહર્ષિના શિષ્યો છે. બપોરે બે વાગે અમે પર્વત પર મહર્ષિનાં દર્શને ગયા. ગુફામાં પ્રવેશીને કાંઈ પણ બોલ્યા વિના એમની સામે બેસી ગયા. અમે લાંબા વખત લગી એવી રીતે જ બેસી રહ્યા તે દરમિયાન હું મારા શરીરનું ભાન ભૂલી ગયો હોઉં એવું લાગવા માંડ્યું. મહર્ષિની આંખ ઊંડા ધ્યાનમાં ડૂબેલી હતી. એ ધ્યાનમગ્ન આંખ તરફ હું અડધા કલાક સુધી એકીટસે જોઈ રહ્યો. શરીર દેવતાનું મંદિર છે એવું લાગવા માંડ્યું. સાથે સાથે એવો વિલક્ષણ અનુભવ પણ થવા લાગ્યો કે એમનુ શરીર પાર્થિવ નથી. એ ઈશ્વરનું હથિયાર લાગ્યું. એ જાણે કે અચલ, સ્થિર શબ હોય અને એની અંદરથી પરમાત્માનો પ્રખર પ્રકાશ પ્રવાહિત થઈ રહ્યો હોય એવો ભાસ થયો. મારી એ વખતની લાગણી અવર્ણનીય હતી.’
‘ઉત્તમતા, નમ્રતા, આત્મસંયમ અને પોતાની સ્વાનુભવજન્ય માન્યતાઓની અડગ મૂક નિષ્ઠાની દૃષ્ટિએ મહર્ષિ એટલા બધા મહાન છે કે જેનું શબ્દોમાં વર્ણન ના કરી શકાય.’
એ પત્ર પરથી પોતાની પ્રથમ મુલાકાતે જ એ મહર્ષિના વ્યક્તિત્વથી કેટલા બધા પ્રભાવિત થયા અને એમને અસાધારણ આદરભાવથી જોવા લાગ્યા એનો સ્પષ્ટ ખ્યાલ આવે છે. મહર્ષિના શાંત છતાં આત્માના ઓજસથી અલંકૃત વ્યક્તિત્વથી એ મંત્રમુગ્ધ થયા વિના ના રહી શક્યા એવી છાપ પડ્યા વિના નથી રહી શક્તી.
* * * * * * * * * * * *
એ મુલાકાત દરમિયાન એમણે મહર્ષિ સાથે કરેલો રસપ્રદ વાર્તાલાપ ખાસ જાણવા જેવો છે. એથી બીજાને પણ માર્ગદર્શન મળી શકશે.
પ્રશ્ન : મહર્ષિ, હું દુનિયાને મદદ કરી શકું ખરો ?
ઉત્તર : તમારી જાતને જ પહેલાં મદદરૂપ થાવ. એ રીતે દુનિયાને મદદરૂપ થઈ શકશો.
પ્રશ્ન : હું દુનિયાને મદદ કરવા માગું છું તો મદદરૂપ નહિ થઈ શકું ?
ઉત્તર : કેમ નહિ ? તમને મદદ પહોંચાડવાથી દુનિયાને મદદ પહોંચાડી શકો છો. તમે સંસારમાં છો––સંસારથી અલગ નથી. તમે દુનિયાથી જુદા નથી ને દુનિયા પણ તમારાથી જુદી નથી.
પ્રશ્ન : મહર્ષિ, શ્રીકૃષ્ણે ને ઈશુએ પ્રાચીન કાળમાં કરેલા તેવા ચમત્કાર હું પણ કરી શકું ખરો ?
ઉત્તર : એ બધાં કર્મો કરતી વખતે એમને એવું લાગતું’તું કે એ કશુંક કરી અને નૈસર્ગિક નિયમોની વિરુદ્ધ વર્તી રહ્યા છે ?
હમ્ફ્રીસે થોડીક વાર વિચાર કરીને ઉત્તર આપ્યો : ના મહર્ષિ !
* * * * * * * * * * * *
હમ્ફ્રીસની મહર્ષિ સાથેની એ પહેલી મુલાકાત હતી તો પણ એણે ઘણું ચમત્કારિક કામ કર્યું. મહર્ષિના સાદાસીધા છતાં ગૂઢ, રહસ્યમય, આત્મિક ઊંડાણવાળા વ્યક્તિત્વનો પ્રભાવ એમની ઉપર પડ્યા વિના ના રહ્યો. એ અરૂણાચલ પરથી નીચે ઊતરીને વેલોર જઈને એમના કામમાં જોડાઈ ગયા તો પણ એ મહાપુરૂષના અસાધારણ આકર્ષણનો અનુભવ કરતા જ રહ્યા. મહર્ષિની મધુમય મૃદુ મુખાકૃતિ એમની આંખ આગળ તરતી જ રહી . વિરૂપાક્ષી ગુફાનું વાતાવરણ એમના અંતરને સંવેદનશીલ કરવા માંડ્યું. મહર્ષિના પ્રજ્ઞાપૂત સરસ ગાર્ભિત શબ્દો એમના શ્રવણપટ પર અવારનવાર અથડાવા લાગ્યાં. એમને થયું કે એ સ્વાનુભૂતિ સંપન્ન સત્પુરૂષ સાથે પોતાનો પહેલાંનો સંબંધ છે. એ સંબંધ ગુરૂશિષ્યના સંબંધ વિના બીજો કયો હોઈ શકે ? એ સંબંધને સુદૃઢ કરીને એમના ચરણમાં આત્મસમર્પણ દ્વારા એમના અધિકાધિક અનુગ્રહને પ્રાપ્ત કરવાનો પ્રામાણિક પ્રયત્ન કરવો જોઈએ.
એવા વિચારોથી પ્રેરાઈને એમણે થોડા દિવસો પછી અરૂણાચલ પર્વત પરના એ એકાંતસેવી સંતપુરૂષ પાસે જવાનો નિર્ણય કર્યો. એમનું મન એમની પાસે પહોંચવા માટે તલપાપડ થઈ રહ્યું. એમની લગન એટલી ઉત્કટતા પર પહોંચી ગઈ કે વેલોરથી તિરુવણ્ણામલૈ સુધીના સાઠ માઈલ એમણે મોટરસાઈકલ પર અને તે પણ સખત તાપમાં કાપી નાખ્યા. પરંતુ એમાં એમને કોઈ પ્રકારનો પરિશ્રમ ના પડ્યો. ઊલટું, આનંદ આવ્યો. જે વસ્તુને માટે પ્રેમ હોય છે તેને ખાતર કાંઈક કરી છૂટવામાં હંમેશા આનંદ જ આવતો હોય છે.
પી.ડબલ્યુ. ડી. ના સુપ્રિન્ટેન્ડેન્ટ રાઘવાચારિયરની સાથે એ મહર્ષિની પાસે વિરૂપાક્ષી ગુફામાં પહોંચી ગયા.
એ મુલાકાતનું વર્ણન હમ્ફ્રીસના પોતાના જ શબ્દોમાં જોઈ લઈએ. એ જણાવે છે કે––
‘મોટરસાઈકલ પર પ્રવાસ કરીને હું અરૂણાચલ પરની વિરૂપાક્ષી ગુફામાં જઈ પહોંચ્યો. મહર્ષિએ મને જોઈને સ્મિત કર્યું મારા આગમનને લીધે જરા પણ આશ્ચર્ય ના બતાવ્યું. અમે અંદર જઈને નીચે બેઠા તે પહેલાં જ એમણે મને અંગત પ્રશ્ન પૂછ્યો. એ પ્રશ્નની એમના ને મારા સિવાય બીજા કોઈને ખબર ન હતી. જે ક્ષણે જોયો એ જ ક્ષણે એમણે મને દેખીતી રીતે જ ઓળખી કાઢ્યો. એમની પાસે આવનારા પ્રત્યેક મનુષ્યના મનોભાવોને એ ઉઘાડા પુસ્તકની પેઠે સહેલાઈથી વાંચી શકે છે. મનુષ્યના અંતરાત્માની અંદર જે કાંઈ હોય છે એને જાણવા માટે એમનો એક જ દૃષ્ટિપાત પૂરતો હોય છે.
‘મહર્ષિ બોલ્યા : ‘તમે હજુ ભોજન કર્યું નથી લાગતું ને ભૂખ્યા છો.’
‘મેં એમની વાતને કબૂલ કરી. એમણે એક શિષ્યને બોલાવીને મારે માટે વિના વિલંબ ભોજન લાવવાનો આદેશ આપ્યો. થોડીવારમાં તો ભોજન આવી પહોંચ્યું. ભાત, ઘી, ફળ વગેરે. મેં એને ભારતીય પદ્ધતિ પ્રમાણે હાથની મદદથી ખાઈને ન્યાય આપ્યો. મેં એવી રીતે ખાવાની પણ ટેવ પાડેલી. તો પણ એ ટેવ મારે માટે હજુ સહજ નહોતી બની. મહર્ષિ મારી મુશ્કેલીને સમજી ગયા અને એમણે સ્મિત કરતાં ને વચ્ચે વાતો કરતાં મને નાળિયેરીનો ચમચો આપ્યો જેથી હું સહેલાઈથી જમી શકું. એમના સ્મિત કરતાં વિશેષ સુંદર વસ્તુની કલ્પના કરવી કઠિન છે. મેં જમ્યા પછી સફેદ, ગાયના દૂધ જેવું સ્વાદિષ્ટ, નાળિયેરનું પાણી પણ પીધું. એમાં મહર્ષિએ ખૂબ ખૂબ પ્રેમપૂર્વક પોતાને હાથે જ થોડીક ખાંડ મેળવેલી.
‘એ બધું ભોજન પૂરૂં કર્યા પછી મારું પેટ પૂરેપૂરું નહોતું ભરાયું એ હકીકત એમનાથી અજાણ ના હોવાથી એમણે થોડુંક વધારે ખાવાનું મંગાવ્યું. એમને અંતર્યામીની પેઠે બધી જ ખબર પડી જાય છે અને એટલા માટે તો બીજાએ મારી અનિચ્છા છતાં મને ફળ ખાવાનો આગ્રહ કર્યો ત્યારે મને પૂરેપૂરી તૃપ્તિ પામેલો જાણીને એમણે એમને તરત જ તેમ કરતા અટકાવી દીધા.’
‘પાણી પીવાની મારી પદ્ધતિને માટે મેં માફી માગી ત્યારે એમણે કહ્યું કે કશી હરકત નહિ. હિંદુઓ એ બાબત ખાસ ધ્યાન રાખતા હોય છે. એ પાણી પીતી વખતે વાસણને હોઠે લગાડવાને બદલે પ્યાલાને ઉપર અથવા મુખથી અસ્પૃશ્ય રાખીને પાણી પીતા હોય છે. એ પદ્ધતિને લીધે વાસણ એઠું નથી અને એક હોય તો પણ અનેકને કામ લાગે છે.’
‘હું જ્યારે જમતો’તો ત્યારે એ મારા ભૂતકાળની વિગતોનું વર્ણન કરી રહેલા. એ વર્ણન સંપૂર્ણ સાચું હતું. આશ્ચર્ય તો એ કે એમણે મને આની પહેલાં ફક્ત એકવાર જ જોયેલો અને એ પછી એ મારા જેવા કેટલાય મુલાકાતીને મળી ચૂકેલા. આપણે કોઈ મહાન જ્ઞાનવિજ્ઞાનકોશને વાંચતા હોઈએ તેમ એ અંતઃપ્રેરણાના આધાર પર જાણે કે બધું જ જાણી શકતા. એમના સદુપદેશનું શ્રવણ કરતાં એમની આગળ હું ત્રણેક કલાક લગી બેસી રહ્યો.’
‘પાછળથી મને તરસ લાગી. મેં એની અભિવ્યક્તિ શબ્દોમાં ના કરી બતાવી તો પણ એમને એમની વિશેષ શક્તિથી એની ખબર સત્વર પડી ગઈ ને એમણે એક ભક્તને થોડુંક લીંબુનું પાણી લાવવાનો આદેશ આપ્યો.’
‘આખરે એમને મસ્તક નમાવીને મેં નમસ્કાર કર્યા ને મારા બૂટ પહેરવાને માટે હું ગુફાની બહાર આવ્યો. એ પોતે પણ મારી પાછળ બહાર આવ્યા ને મને ફરીવાર આવવાની સૂચના આપતાં ઊભા રહ્યા.’
‘એમની સંનિધિમાં માણસની અંદર ખરેખર આશ્ચર્યકારક પરિવર્તન થયા વિના નથી રહેતું.’
* * * * * * * * * * * *
એ મહાપુરૂષની વિદાય લેતાં પહેલાં એમને એક પ્રશ્ન પૂછવાનું મન થયું. હમ્ફ્રીસ નોકરી તો કરી જ રહેલા પરંતુ આત્મોન્નતિની સાધનામાં પણ ઊંડો રસ ધરાવતા. કેટલીકવાર એમને વિચાર આવતો કે આત્મોન્નતિની સાધનામાં બાહ્ય પ્રવૃતિ અથવા નોકરી નડતરરૂપ નથી ? જેમણે થોડા વખતમાં ને સારી રીતે આત્મવિકાસની સાધનામાં આગળ વધવું હોય તેમણે નોકરીને તિલાંજલિ આપીને અંતરંગ સાધના પર જ પોતાના સમગ્ર ધ્યાનને કેન્દ્રિત ના કરવું જોઈએ ? એવી રીતે ધ્યાનને આત્મકેન્દ્રિત કરવાનું શું અનિવાર્ય નથી લાગતું ?
મહર્ષિએ શાંતિપૂર્વક સત્વર ઉત્તર આપ્યો :
‘તમે નોકરી તથા ધ્યાન બંનેને સાથેસાથે કરી શકો છો.’
એ સાંભળીને હમ્ફ્રીસનું સમાધાન થયું.
* * * * * * * * * * * *
થોડા વરસ સુધી નોકરી કર્યા પછી હમ્ફ્રીસ એમાંથી છૂટા થયા ને રોમન કેથોલિક સાધુ બન્યા.