Saturday, February 11, 2012
   
Text Size

Opening verses

मंगलाचरण
 
(श्लोक)
कुन्देन्दीवरसुन्दरावतिबलौ विज्ञानधामावुभौ
शोभाढ्यौ वरधन्विनौ श्रुतिनुतौ गोविप्रवृन्दप्रियौ।
मायामानुषरूपिणौ रघुवरौ सद्धर्मवर्मौं हितौ
सीतान्वेषणतत्परौ पथिगतौ भक्तिप्रदौ तौ हि नः ॥ १ ॥
 
ब्रह्माम्भोधिसमुद्भवं कलिमलप्रध्वंसनं चाव्ययं
श्रीमच्छम्भुमुखेन्दुसुन्दरवरे संशोभितं सर्वदा।
 संसारामयभेषजं सुखकरं श्रीजानकीजीवनं
धन्यास्ते कृतिनः पिबन्ति सततं श्रीरामनामामृतम ॥ २ ॥
 
सोरठा
मुक्ति जन्म महि जानि ग्यान खानि अघ हानि ।
कर जहँ बस संभु भवानि सो कासी सेइअ कस न ॥
 
जरत सकल सुर बृंद बिषम गरल जेहिं पान किय ।
तेहि न भजसि मन मंद को कृपाल संकर सरिस ॥


 
મંગલાચરણ
 
જે છે સુંદર નીલ પદ્મ સરખા ને કુંદ જેવા, બલી
શોભાસાગર જ્ઞાનધામ ધનુવિદ, વેદે સ્તવ્યા સર્વદા,
ગોવિપ્રપ્રિય ધર્મવર્મ હિતકૃત્ સૌ બંધનોને હરે,
સીતાન્વેષણલીન જે વિહરતા વેઠી વ્યથાને વને,
માયામાનુષ રામલક્ષ્મણ સદા, ભક્તિ અમોને ધરે.
 
લાધેલું શ્રુતિસિંધુથી, કલિમલવિધ્વંસક, અવ્યય,
શોભે સુંદર શ્રેષ્ઠ શંભુમુખમાં, દે શાંતિ જે અક્ષય;
સંસારામય દિવ્ય ઔષધ સમું, શ્રી જાનકીજીવન
પુણ્યાત્મા સહુ ધન્ય પાન કરતા શ્રી રામનામામૃત.
 
(દોહરો)
જ્ઞાનખાણ અઘનાશિની, માતા મુક્તિતણી,
શંભુ ભવાની જ્યાં વસે લેતાં ક્લેશ હણી;
 
કેમ સેવવી તે નહીં સ્નેહથકી કાશી;
તીર્થપુરી માને પરમ મુક્તિ અભિલાષી.
 
ઉગારતાં સુરવૃંદને કર્યું વિષમ વિષપાન
એ શંકરશા અન્ય છે જગમાં કોણ કૃપાળ.
 
મંદબુદ્ધિ મન ના ભજે એ શંકરને કેમ,
મૂઢતા તજી એમનાં ચરણોમાં કર પ્રેમ.

 

Today's Quote

Constant dripping hollows out a stone.
- Lucretius 
06.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 16 guests online

View site in