મેં તમારે માટે કેટકેટલાં ગીતો વહાવ્યાં છે !
અંતરના ઉંડાણમાંથી ઉત્પન્ન થયેલાં એ ગીતો મારા પ્રાણ જેવાં પ્યારાં રહ્યાં છે,
ને માનું છું કે તમે પણ તેમને પ્રાણ પ્યારાં માન્યાં છે.
ગમે તે સ્થળ ને કાળમાં એ ગીતો મારે માટે મહાન પથપ્રદર્શક ને આશીર્વાદરૂપ બન્યાં છે.
દેવી કે દેવતા પાસે મારે બીજું શું માંગવાનું છે ?
ગીતને ગાઈને મારે બીજું શું મેળવવાનું છે ?
સૌને મારી એક જ પ્રાર્થના, સૌની આગળ મારી એક જ કામના હોય છે,
કે તમારો પ્રેમ ને તમારી કૃપા મારા પર પરિપૂર્ણપણે વરસી રહે,
ને મને તમારી પાસે ને તમને મારી પાસે કાયમને માટે સ્થાન મળે, આરામ મળે.
ગીતની આ છેલ્લી લીટીમાં તમારી પાસે પણ મારી એ જ પ્રાર્થના છે.
- શ્રી યોગેશ્વરજી