તમારે માટે પ્રેમનાં આવાં ગીતો બીજું કોણ લખે છે ?
અંતરમાં આટઆટલો અનુરાગ ભરીને દિલના ઉંડાણમાંથી તમને કોણ પ્રેમ કરે છે ?
તમારે માટે કોણ તપે છે ને રડે છે, તથા તમારે ચરણે ગીતોની પૂજા પણ કોણ ધરે છે ?
એમ તો કહો કે તમારે માટે અંતરની આરતિ ઉતારીને
પોતાના પ્રેમની પૂજા તમારે ચરણે બીજું કોણ ધરે છે ?
માટે જ કહું છું કે મારા પ્રેમની તમોને કાંઈપણ કીમત હોય
તો મેં જેમ તમારે માટે સર્વસમર્પણ કર્યું છે, તેમ તમે પણ મારે માટે સર્વસમર્પણ કરો.
મારી જેમ તમે પણ મને તમારા પ્રાણનું પૂજાનું ફુલ ધરો ને મારે માટે તલપાપડ બનો.
મારો મનોરથ હવે જલદી જલદી પૂરો કરો.
- શ્રી યોગેશ્વરજી