“પંડિતો રાગદ્વેષ અથવા ઈર્ષાથી ભરેલા છે. શ્રી, સંપત્તિ, સત્તાથી સંપન્ન છે એ અભિમાનમાં ઓતપ્રોત છે, બીજા સામાન્ય માનવો વિવેક ને રસિકતાથી રહિત છે. તેમને તો ઉચ્ચ જીવનની વાત વિશે કહેવું જ શું ? એટલે વાત મનમાં ને મનમાં જ મરી ગઈ.”
એ ભર્તુહરિનાં વચનો આજે પણ એટલાં જ સાચાં છે.
તોપણ, વાતને કહ્યા વિના, અંતરના અનેરા ભાવોને વહાવ્યા વિના, નથી રહી શકતો. એટલા જ માટે કે તમે તો તેને જાણો છો, સમજો છો, તેની કદર કરો છો. અને આ ધરતી ને આસમાન છે ત્યાં સુધી, વિશ્વના વિશાળ વિસ્તારમાં, એવા પણ આત્માઓનો આવિર્ભાવ થયો હશે ને થશે જે એને સમજશે, એમાંથી સંજીવન મેળવશે.
એટલા માટે પણ કવિતામાં આપણી કથા કહ્યા કરું છું: કંટાળ્યા કે કલાંત થયા વિના કહ્યા કરું છું.
(૧૪-૪-૧૯૬૦, ગુરૂવાર)
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)