જ્ઞાનઅજ્ઞાને કદી વચનો કહ્યાં
કટુક તમને કે અયોગ્ય જરાય હો
હોય હો વ્યવહાર ના કોદી કર્યો
દુભાયું દિલ હો જરી મારા થકી
સહન કરવું હો પડયું, એકાદયે
અશ્રુ માટે બન્યો કયાંય નિમિત્ત કે
શુશ્રૂષામાં કર્યો દોષ પ્રમાદ મેં,
જિંદગીની જટિલ યાત્રાને સરળ
સફળ ઉજજ્વળ સ્વાદુ કરવામાં જરા
ત્રુટિ રહી હો ક્ષમા તો કરજો સકળ.
તાપમાં છાયા સદા તમને ધરી
સ્વર્ગથી સૃષ્ટિ સુખદ સઘળે કરી,
શ્વાસ અંતિમ તમે લીધો ત્યાં સુધી
શાંતિ આપી અવિદ્યા સઘળી હરી;
તોય માનવ ભૂલ હો કયાંયે થઈ
જણાયે તો ક્ષમા સત્વર દો દઈ.
મેંય તમને ક્ષમા કૈં સમયે કરી
પ્રયાણ કર્યું એટલે પુલક્તિ બની.
- શ્રી યોગેશ્વરજી