Wednesday, September 08, 2010
   
Text Size

પ્રજાની ભૂલ

સ્વાતંત્ર્યની સિદ્ધિની સાથે
પ્રગતિનો પુરુષાર્થ પૂરો થાય છે,
એમ માનનારી પ્રજા ખરેખર ભૂલ ખાય છે,
પાર વિનાની પીડા સહન કરે છે.

સ્વાતંત્ર્યની સિદ્ધિ તો
માત્ર સુશાંતિ અને સમૃદ્ધિના સૂર્યોદયની શરૂઆત છે;
કેટલાંય કમળોને એ પછી ખીલવાનું,
પુષ્પોને પ્રકટવાનું,
પંખીની પંક્તિઓને પ્રફુલ્લિત થવાનું,
અંધકારના અનેકાનેક આવરણનો અંત આણવાનું
એની પછી શેષ રહે છે.

સ્વાતંત્ર્યની સિદ્ધિમાં એ માટેની શક્યતા છે,
પરંતુ સંપૂર્ણતા નથી:
એનું વિસ્મરણ કરનારી પ્રજા ખરેખર ભૂલ ખાય છે;
પાર વિનાની પીડાગર્તામાં,
પ્રશ્નો તેમજ સમસ્યાઓમાં,
ધકેલાઈ જાય છે.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

You can get everything you want if you help enough others get what they want.
- Zig Ziglar 
02.jpg
Bookmark and Share

View site in

Who's Online

Now 30 guests online