Sunday, February 05, 2012
   
Text Size

કૃપાની પ્રાર્થના

હે મારા પરમ પ્રભુ !
દુઃખોને દૂર કર અથવા તો
ચિંતા તથા પરિતાપના પાવકને પ્રજ્વલિત ના કર
એવું હું નથી કહેતો.
મારી પ્રાર્થના તો એટલી જ છે કે,
એમાં હું અટવાઈ ના જાઉં,
પરંતુ એમાંથી સહીસલામત પાર ઊતરું.
એટલી કૃપા કરી દેજે !

કષ્ટ, પરિતાપ, યાતના કે વેદના તો તારો હથોડો છે.
એનાથી મારા જીવનને તું ઘડે છે,
ટીપે છે, અને અનુકૂળ આકાર આપે છે.
ફક્ત એ હથોડાથી એ એકદમ ટીપાઈને
ધ્વસ્ત કે નામશેષ ના થઈ જાય,
પરંતુ સાનુકૂળ અને સુંદર આકારમાં આવિર્ભાવ પામે,
એટલી કૃપા કરી દેજે !

હે મારા પરમ પ્રભુ !
દુઃખ, દર્દ, ચિંતા ને યાતના
આવવાના જ હોય તો ભલે આવે;
પરંતુ આટલું તો અવશ્ય કર :
મારા અંતરમાં ધૃતિ, તિતિક્ષા, ને વીરતા ભર:
એને લોખંડી કર. સનાતન સુખ ધર.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Like a miser that longeth after gold, let thy heart pant after Him.
- Sri Ramkrishna 
12.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Who's Online

Now 311 guests online

View site in