Tuesday, May 22, 2012
   
Text Size

શિશુની સરળતા

સાગરને કાંઠે મળેલી મેદનીમાં આજે મેં એક અજબ માનવને જોયો. પુસ્તકોના ઢગની વચ્ચે તે બેઠો હતો. એક પંડિત તરીકે તેની ખ્યાતિ હતી. એટલે કુતૂહલથી પ્રેરાઈને લોકો તેને ઘેરી વળ્યા હતા. ભેગા થયેલા માનવ-મહેરામણને તે કહેતો હતો: ‘મારા સમસ્ત જ્ઞાનભંડારને, મારી બધી પંડિતાઈને કોઈ લઈ લો, ને બદલામાં મને શિશુની સરલતા આપો. મારી બધી જ વિદ્યાને કોઈ લઈ લો.’

માણસો એ સાંભળી હસતા હતા; તો કોઈ વિચારમાં પડતા હતા.

એક ડાહ્યા દેખાતા માણસે તેને કહ્યું: ‘ભાઈ, જ્ઞાન વિનાની શિશુની સરલતા લઈને તું શું કરીશ? જ્ઞાનના પરિપાક રૂપે પ્રગટતી સરલતા માટે પ્રભુને પ્રાર્થના કર. તો જ તારા જીવનની સમસ્યા ઉકલી શકશે. એક ઈશ્વર વિના બીજા કોઈનામાં તને સંતોષવાની શક્તિ નથી.’

મને એ ડાહ્યા માનવીની વાત ગમી ગઈ.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

The flower which is single need not envy the thorns that are numerous.
- Rabindranath Tagore 
11.jpg

Follow Us

  • Facebook: swargarohan
  • Twitter: swargarohan
  • YouTube: swargarohan1

Translate

Who's Online

Now 90 guests online

View site in