त्रासदायी असुरों का संहार करने की राम की प्रतिज्ञा
अस कहि जोग अगिनि तनु जारा । राम कृपाँ बैकुंठ सिधारा ॥
ताते मुनि हरि लीन न भयऊ । प्रथमहिं भेद भगति बर लयऊ ॥१॥
रिषि निकाय मुनिबर गति देखि । सुखी भए निज हृदयँ बिसेषी ॥
अस्तुति करहिं सकल मुनि बृंदा । जयति प्रनत हित करुना कंदा ॥२॥
पुनि रघुनाथ चले बन आगे । मुनिबर बृंद बिपुल सँग लागे ॥
अस्थि समूह देखि रघुराया । पूछी मुनिन्ह लागि अति दाया ॥३॥
जानतहुँ पूछिअ कस स्वामी । सबदरसी तुम्ह अंतरजामी ॥
निसिचर निकर सकल मुनि खाए । सुनि रघुबीर नयन जल छाए ॥४॥
(दोहा)
निसिचर हीन करउँ महि भुज उठाइ पन कीन्ह ।
सकल मुनिन्ह के आश्रमन्हि जाइ जाइ सुख दीन्ह ॥ ९ ॥
વનમાં ત્રાસ આપતા અસુરોના સંહારની રામની પ્રતિજ્ઞા
(દોહરો)
એમ કહી યોગાગ્નિમાં શરીરને બાળ્યું;
વૈંકુઠ મળ્યું રામના અનુગ્રહથી ન્યારું.
પ્રથમથી જ માંગ્યુ હતું ભેદ ભક્તિવરને
વિલીન તેથી હરિમહીં થયા નહીં મુનિ એ.
સદગતિ મુનિની દેખતાં ઋષિ સૌ સુખી થયા,
સ્તુતિ કરતાં શ્રીરામની જયજયકાર કર્યાં.
વનમાં મુનિમંડળ સહિત આગળ ચાલ્યા રામ,
અસ્થિસમૂહ નિહાળતાં હૃદય દ્રવ્યુ નિષ્કામ.
મુનિઓ બોલ્યાં પ્રભુ તમે અંતર્યામી છો,
સર્વજ્ઞ છતાં અજ્ઞની પેઠે કાં પૂછો.
નિશિચરનિકરે ભક્ષણ ઋષિમુનિઓનું કર્યું
અસ્થિઢગ બધા એહના; સુણતાં હૃદય રડ્યું.
નિશિચરરહીત કરું મહી પ્રતિજ્ઞા કરી ત્યાં
ભુજ ઉઠાવતાં રઘુવરે શોકભર્યા સ્વરમાં.