श्रीराम लक्ष्मण को बोध प्रदान करते है
थोरेहि महँ सब कहउँ बुझाई । सुनहु तात मति मन चित लाई ॥
मैं अरु मोर तोर तैं माया । जेहिं बस कीन्हे जीव निकाया ॥१॥
गो गोचर जहँ लगि मन जाई । सो सब माया जानेहु भाई ॥
तेहि कर भेद सुनहु तुम्ह सोऊ । बिद्या अपर अबिद्या दोऊ ॥२॥
एक दुष्ट अतिसय दुखरूपा । जा बस जीव परा भवकूपा ॥
एक रचइ जग गुन बस जाकें । प्रभु प्रेरित नहिं निज बल ताकें ॥३॥
ग्यान मान जहँ एकउ नाहीं । देख ब्रह्म समान सब माही ॥
कहिअ तात सो परम बिरागी । तृन सम सिद्धि तीनि गुन त्यागी ॥४॥
(दोहा)
माया ईस न आपु कहुँ जान कहिअ सो जीव ।
बंध मोच्छ प्रद सर्बपर माया प्रेरक सीव ॥ १५ ॥
શ્રીરામ લક્ષ્મણને બોધ આપે છે
કહું સંક્ષેપમાં સમજાવી, બોલ્યા રામ સુણો ધ્યાનમાં લાવી;
હું ને મારું તું તારું માયા, એણે વશ કર્યા રઘુરાયા.
મન ઇન્દ્રિયો જ્યાં સુધી જાય, જાય માયાતણી ત્યાં છાંય;
એના વિદ્યા અવિદ્યા ભેદ, બંને જાણ્યે મળે નિર્વેદ.
દુષ્ટ એક અતિદુઃખરૂપ પડ્યો જીવ જેથી ભવકૂપ,
ગુણવાળી રચે જગને જે પ્રભુપ્રેરિત બળહીન છે તે.
જેમાં માનાદિ દોષ ન કોઇ, રહે બ્રહ્મ ચરાચર જોઇ,
તેને જ્ઞાન નકામું ગણ્યું વિદ્વાને, કોઇ વિરલા જનો એને માણે.
સિદ્ધિ ત્રિગુણને તૃણસમ ત્યાગે જીવે રાગી પ્રભુના જ વૈરાગે;
માયા ઇશ પોતાને ન જાણે તેને જીવ વિદ્વાનો માને.
(દોહરો)
બંધ મોક્ષપ્રદ સર્વ પર માયાપ્રેરક જે
પૂર્ણ મુક્ત અજ અમર એ શિવ ઇશ કહ્યા છે.