महाराजा दशरथ के निधन से अयोध्या शोकग्रस्त
जिअन मरन फलु दसरथ पावा । अंड अनेक अमल जसु छावा ॥
जिअत राम बिधु बदनु निहारा । राम बिरह करि मरनु सँवारा ॥१॥
सोक बिकल सब रोवहिं रानी । रूपु सील बलु तेजु बखानी ॥
करहिं बिलाप अनेक प्रकारा । परहीं भूमितल बारहिं बारा ॥२॥
बिलपहिं बिकल दास अरु दासी । घर घर रुदनु करहिं पुरबासी ॥
अँथयउ आजु भानुकुल भानू । धरम अवधि गुन रूप निधानू ॥३॥
गारीं सकल कैकइहि देहीं । नयन बिहीन कीन्ह जग जेहीं ॥
एहि बिधि बिलपत रैनि बिहानी । आए सकल महामुनि ग्यानी ॥४॥
(दोहा)
तब बसिष्ठ मुनि समय सम कहि अनेक इतिहास ।
सोक नेवारेउ सबहि कर निज बिग्यान प्रकास ॥ १५६ ॥
*
MP3 Audio
*
મહારાજા દશરથના નિધનથી અયોધ્યામાં શોક
(દોહરો)
ફળ જીવન ને મરણનું પામ્યા દશરથ એમ,
નિર્મળ યશ વ્યાપે નહીં પછી વિશ્વમાં કેમ?
જીવતાં મધુર વદનને રઘુવરનું જોયું,
રામવિરહથી મરણના સ્વરૂપને ધોયું.
શોકિત સૌ રાણી રડી કરતાં વિવિધ વિલાપ,
પડી ધરા પર રૂપ ગુણ બળનાં કરી વખાણ.
વિલાપ દાસી દાસ ને પ્રજાજનેય કર્યો,
આજ ભાનુકુળભાનુ ને ગુણનિધિ અસ્ત થયો.
કૈકેયીને ક્રોધથી દીધી સૌએ ગાળ,
એણે નેત્રવિહિન કર્યો સઘળો આ સંસાર.
વિલાપ કરતાં એમ ત્યાં વીતી રાત ગઇ,
આવ્યા જ્ઞાની મુનિવરો સૌ કરુણાર્દ્ર થઇ.
કહી વસિષ્ઠે ઓળખી અવસર મધુ ઇતિહાસ
શોક શમાવ્યો રેલાવતાં નિજ વિજ્ઞાનપ્રકાશ.