शंकर-पार्वती श्रीराम को विरही अवस्था में देखते है
(चौपाई)
रावन मरन मनुज कर जाचा । प्रभु बिधि बचनु कीन्ह चह साचा ॥
जौं नहिं जाउँ रहइ पछितावा । करत बिचारु न बनत बनावा ॥१॥
एहि बिधि भए सोचबस ईसा । तेहि समय जाइ दससीसा ॥
लीन्ह नीच मारीचहि संगा । भयउ तुरत सोइ कपट कुरंगा ॥२॥
करि छलु मूढ़ हरी बैदेही । प्रभु प्रभाउ तस बिदित न तेही ॥
मृग बधि बन्धु सहित हरि आए । आश्रमु देखि नयन जल छाए ॥३॥
बिरह बिकल नर इव रघुराई । खोजत बिपिन फिरत दोउ भाई ॥
कबहूँ जोग बियोग न जाकें । देखा प्रगट बिरह दुख ताकें ॥४॥
(दोहा)
अति विचित्र रघुपति चरित जानहिं परम सुजान ।
जे मतिमंद बिमोह बस हृदयँ धरहिं कछु आन ॥ ४९ ॥
*
MP3 Audio
*
શિવ-પાર્વતી શ્રીરામને વિરહી અવસ્થામાં જુએ છે
માગ્યું રાવણે મરણ મનુજથી, વિધિવચન થશે સત્ય પ્રભુથી;
જઉં નહિ તો પશ્ચાત્તાપ રહેશે; શિવને જડતો ઉપાય ન લેશ.
બન્યા એમ ચિંતામગ્ન ઇશ, એ જ સમયે ગયો દસશીશ,
નીચ મારીચને લીધો સંગ, બન્યો તરત તે કપટી કુરંગ.
મૂઢે છળથી હરી વૈદેહીને, ક્યાંથી પ્રભુનો પ્રતાપ કળે એ;
મારી મૃગ બંધુસહ હરિ આવ્યા આશ્રમ અવલોકી અશ્રુ છવાયાં.
વિરહે વ્યાકુળ જન જેવા રામ વનમાં શોધવા લાગ્યા નિષ્કામ;
યોગ તેમ વિયોગ ના જેને વ્યાપી વિરહની વેદના તેને.
(દોહરો)
અતિ વિચિત્ર રઘુપતિચરિત જાણે પરમ સુજાણ;
મંદબુદ્ધિ સંમોહિત માને કાંઇ આન.