Download details |
Ramayan Darshan (રામાયણ દર્શન) | ||||||||||||||||||||||||||
રામાયણ અને મહાભારતે સદીઓથી સામાન્ય જનસમાજને આકર્ષ્યાં છે. મહર્ષિ વાલ્મિકીએ શ્રીરામની જીવનકથાને સંસ્કૃતમાં આલેખિત કરી તેના ઘણાં વરસો બાદ ગોસ્વામી તુલસીદાસે પ્રાકૃત હિન્દી-અવધી ભાષામાં શ્રીરામની જીવનકથા પર આધારિત રામચરિતમાનસની રચના કરી. ગુજરાતીમાં ગિરધરકૃત રામાયણનો મહિમા છે. એ સિવાય એ મહાકાવ્ય પર ખાસ કલમ ચલાવવામાં આવી નથી. ગુજરાતી કવિતામાં રામાયણને મુકવાનો આ વિશિષ્ટ પ્રયોગ છે. ગાંધી ગૌરવ, કૃષ્ણ રુકમિણી જેવા મહાકાવ્યો આપનાર શ્રી યોગેશ્વરજીની કલમની પ્રસાદી સમી આ કૃતિમાં મંદોદરી અને ઊર્મિલા જેવા સ્ત્રીપાત્રોને વિશેષ રીતે ઉપસાવવામાં આવ્યા છે. અહીં વાચકોને એ યાદ અપાવવું ઘટે કે આ રચના પછી ઘણાં લાંબા સમયે શ્રી યોગેશ્વરજીએ તુલસીદાસના રામચરિતમાનસનું ગુજરાતી પદ્યમાં રૂપાંતર કર્યું. રામાયણ દર્શન એ પહેલાં રચાયેલ એમનું અભિનવ મહાકાવ્ય છે. |
|