if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પ્રશ્ન : કેટલીક વાર એવું જોવામાં આવે છે કે અમુક સંતપુરૂષ પર કોઈક જિજ્ઞાસુ, ભક્ત કે સાધકને પુષ્કળ પ્રેમ અથવા તો વિશ્વાસ હોય છે. એ એમને પૂજ્ય કે ઈશ્વરતુલ્ય પણ માને છે. પરંતુ અમુક વખત પછી કોઈ પણ જાતના દેખીતા બાહ્ય કારણ વિના, એ એમની સાથે સંબંધ તોડી નાંખે છે અને એમની ટીકા કે નિંદા કરવા માંડે છે. એ વખતે બીજાને એના વિચાર તથા એનું વર્તન ઘણું વિચિત્ર લાગે છે. તો એવા વિરોધી વર્તનનું કે ફેરફારનું કારણ શું હશે ?
ઉત્તર :  એવા ફેરફાર અથવા તો વિરોધી વર્તનનાં કારણોની ચર્ચામાં ઊતરવું મુશ્કેલ છે. કહેવાને ખાતર આપણે કહીએ છીએ કે જેવા જેના ઋણાનુબંધ અથવા સંસ્કાર. એ સંસ્કાર પૂરા થાય છે એટલે કોઈ પણ જાતના દેખીતા બાહ્ય કારણ વિના પણ એકમેકના સંબંધોનો અંત આવે છે. કોઈવાર એમાં કોઈ સાધારણ અથવા અસાધારણ કારણો પણ મહત્વનો ભાગ ભજવી જાય છે. સંતપુરૂષને લાગેવળગે છે ત્યાં સુધી કોઈ માણસનો સંબંધ કોઈ દુન્યવી લાલસા, વાસના કે સ્વાર્થથી પ્રેરાઈને થતો હોય તો લાલસા, વાસના, સ્વાર્થની પૂર્તિ ના થતાં છેવટે મન અશ્રદ્ધાળુ બને છે, બદલાઈ જાય છે, ને જેની સાથે સ્નેહ થયો હોય તેના જ સંબંધને તોડી નાંખે છે. કોઈવાર સંતપુરૂષને સાચી રીતે ના સમજવાથી પણ ગેરસમજ થતી હોય છે. જો સંતપુરૂષની અંદરનો પ્રેમ અને વિશ્વાસ પૂરતા અનુભવ ને વિચાર પછી પેદા થયો હશે તો તે સ્થાયી જ રહેશે અને ઓટ નહિ આવે. પરંતુ જો એની પાછળ પુરતા વિચાર કે અનુભવનું પીઠબળ નહિ હોય અને સંતપુરૂષની કોઈ વિશેષ શક્તિ કે સિદ્ધિથી અંજાઈને જ એ સંબંધ શરૂ થયો હશે તો એ ચિરસ્થાયી નહિ નિવડે ને લાંબે ગાળે તૂટી જશે. ગમે તેમ, પરંતુ એક વાત તો જરૂર યાદ રાખો કે કોઈ સંતપુરૂષની સાથે ના બને તો એમનો સંબંધ ના રાખવો પરંતુ એથી આગળ વધીને એમની ટીકા કે નિંદા તો ન જ કરવી. ટીકા કે નિંદા કરવામાં કોઈ પ્રકારની માણસાઈ નથી રહી.

પ્રશ્ન : કોઈ વ્યક્તિ વિરોધી બને અથવા ટીકા કે નિંદા કરે તો એ દશામાં સંતપુરૂષનું મન કેવું રહે છે ?
ઉત્તર : સાચા સંતપુરૂષનું મન સદાયે શાંત ને સ્વસ્થ રહે છે. એ પોતાની સ્થિરતા, પ્રસન્નતા ને શાંતિ નથી ખોતા. વિરોધી, ટીકાખોર કે નિંદકને માટે પણ એમના દિલમાં લાગણી, સ્નેહ, કે સદ્ ભાવ હોય છે. એનું એ મંગલ ચાહે છે ને મંગલ જ કરે છે. બધા જ સંજોગોમાં ઈશ્વરની ઈચ્છા જાણીને, ઈશ્વરમાં મનને મગ્ન રાખીને તથા ઈશ્વરની લીલાનું દર્શન કરીને, એ અલિપ્ત રહે છે.
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.